________________
૨૫૧
અનુભવ રસ કે જાણે તેનું સ્વરૂપ પણ તેવું હોય. જેમ દર્પણમાં દેખાતો ધોધમાર વરસાદ. તે તેનું પ્રતિબિંબ છે તેમ સુમતિમાં પતિનું પ્રતિબિંબ પડે છે. વાસનાવિકારથી બૂરી હાલત ભોગવતો ચેતન દુઃખી થાય છે ત્યારે સુમતિ પણ દુઃખી દેખાય છે કારણ કે સુમતિ ચેતન સાથે તદ્રુપ છે. સુમતિ સ્વભાવે તો શુદ્ધ જ રહે છે. પણ કવિએ પતિ સાથે તેનો એકાકાર બતાવવા દુઃખ મહેલના ઝરૂખાની કલ્પના કરી છે. વાસ્તવમાં ચેતન પ૨પરિણતિમાં તરબોળ થઈ ગયો છે. જેમ કહેવાય છે કે સતી એ જ છે કે પતિને સુખે સુખી અને પતિના દુઃખે દુઃખી, એ રીતે કવિ ચેતનાનો પણ ભાવ બતાવે છે. હવે ચેતનાની આ સ્થિતિમાં શી દશા થાય છે તે બતાવતા બીજી કડીમાં કહે છે,
हस्ती तब हुं विरानीया, देखी तन मन छीज्यो हो। સમની તવ હતી વહી, વો નેદ વળ્યો રોપાયા...સારા
જેને રામબાણ વાગ્યા હોય તે જાણે ! એ રીતે વિરહવેદના જ્યાં સુધી અનુભવી ન હોય ત્યાં સુધી શું ખબર પડે કે વિયોગિનીની દશા કેવી હોય છે. સૌભાગ્યવતી સ્ત્રી વિધવાની વેદના શું જાણે? વંધ્યા પ્રસૂતિની વેદના શું જાણે! તે તો એના પર હસે કારણ કે તેને અનુભવ નથી. તેમ ચેતના કહે છે કે વિયોગીની સ્ત્રીઓને જોઈ હસતી હતી પણ હવે મને સમજાય છે કે તે લોકો શામાટે રડતા હશે. ચેતન અજ્ઞાનથી એવો ઘેરાઈ ગયો છે કે તેને પોતાના માણસોની સંભાળ લેવાનું પણ સૂઝતું નથી. તેથી વિરહવેદનાએ હું સીઝી રહી છું પણ હવે મને સમજાયું છે કે ચેતના મિલનથી આનંદની રેલમછેલ થશે. શુદ્ધચેતના પ્રેમના યોગે આ પ્રમાણે કહે છે. ચેતનાએ પોતાના સ્વામીનું સ્વરૂપ ઓળખ્યું ત્યારે તેને શુદ્ધાત્મા પતિ પર પ્રેમ પ્રગટ થયો, પરંતુ પરોક્ષ દશામાં સાક્ષાત્ આત્મસ્વામી દેખાતો નથી. તેથી સ્મૃતિરૂપ ઝરૂખામાં બેસીને આત્માને સાક્ષાત્ જોવા માટે રાહ જોતી બેઠી છે. ચેતના એટલા બધા સ્થિર ઉપયોગમાં રહીને દેખે છે કે તેને તેથી થાક લાગે છે. સાક્ષાત્ આત્માને દેખવાના અભાવરૂપ વિયોગથી ચેતના ઝૂર્યા કરે છે.
મહારાજ બિંબિસારની પત્ની ચલણાને બિંબિસારની છબી જોઈ પ્રેમ જાગ્યો. પ્રત્યક્ષ મિલન થયું ન હોવા છતાં પ્રેમ કટારી લાગી અને ઘાયલ થઈ ગઈ. શ્રેણિકને મેળવવા ચેડારાજાથી છાનું પોતાના મહેલથી