________________
૨૪૯
અનુભવ ૨સ .
પદ-૪૧
પયા વિન શુદ્ધ યુદ્ધ મનિ કો” મોક્ષમાર્ગના સત્યસાધક જ્ઞાનયોગી શ્રી આનંદઘનજી મહારાજે આ પદમાં ચેતનચેતનાની વર્તમાનદશાનું આલેખન કર્યું છે. તેઓશ્રીએ આર્ય સન્નારીના ધર્મનો ઉપદેશ આપી અધ્યાત્મમાર્ગ દર્શાવ્યો છે. જેમ મા પોતાના બાળકને ફોસલાવી રમાડતાં-રમાડતાં જમાડે છે તથા રસિકવાર્તાઓ દ્વારા બીજારોપણ કરી સંસ્કારનું સિંચન કરે છે.
કવિશ્રી આનંદઘનજી ચેતનના સ્વભાવની ચર્ચા કરતા જાય છે ને વર્તમાનમાં ચેતના કેવા-કેવાં દુઃખો ભોગવે છે તે વ્યાવહારિક દૃષ્ટાંતો દ્વારા સમજાવે છે.
“વેરાવલ અથવા મારુ રાગ' માં આ પદની શરૂઆત કરતા કવિ કહે છે,
पीया बिन सुध्ध बुध्ध भूलि हो, आंख लगाई दुःख महेल के --- .. .
નક્ષે ની દો..વીયા..is શુદ્ધ ચેતના, સખી શ્રદ્ધાને કહે છે કે હે શ્રદ્ધા! આ જગતમાં પતિ વિના સ્ત્રીની કેવી દશા થાય છે તે તું ક્યાં નથી જાણતી? સ્ત્રીને મન પતિ પરમેશ્વર છે. તેનાં જીવનના તે શ્વાસ અને પ્રાણ છે. આવા મારા નાથ
જ્યારે મને મૂકીને બહાર રખડતા થઈ જાય ત્યારે મારા હૃદયની શી દશા હોય તેનો તું જ વિચાર કર. મારા નાથ વિના હું આજે ભાનસાન ભૂલી ગઈ છું. મને મારો પણ ખ્યાલ રહેતો નથી. હું શ્વાસ લઉં છું કે નહીં તેનું પણ મને ભાન નથી. નળરાજા દમયંતીને ભયંકર અટવીમાં એકલી મૂકીને ચાલ્યા જાય છે પણ દમયંતી જેવી જાગૃત થાય છે ને પતિ નજરે ન પડતાં પતિવિરહે બેબાકળી બની ઓ નળ ઓ નળની બૂમો લગાવે છે, ને ચારે બાજુ ખુલ્લે પગે દોડધામ કરે છે. ખુલ્લાં પગમાં કાંટાને કાંકરા વાગે છે. પગમાંથી લોહીની ધાર વહે છે તો પણ તેને ભાન નથી કે પોતાનાં પગમાં શું થઈ રહ્યું છે. રડે છે! આજંદ કરે છે! મૂચ્છ આવે છે તે બેભાન બની