________________
અનુભવ ૨સ
૨૪૬
માટે સ્વાધ્યાય, ધ્યાન, ચિંતન, મનન અતિ જરૂરી છે અને એ જ રોકડું નાણું છે અને વિષયસુખની ભોગેચ્છા તે ઉઘરાણી છે. આત્માનાં સહજ સુખને પ્રાપ્ત કરવા જ્ઞાનધ્યાનમાં રમણતા કરવી એ રોકડો ધર્મ છે. આત્મા જ સર્વ સંસારનું મૂળ છે તો મોક્ષનો માલિક પણ આત્મા જ છે. ધર્મવિહોણો આત્મા ચારેય ગતિમાં પરિભ્રમણ કરે છે. ચાર્વાકો તો આત્મા જેવી વસ્તુને માનતા જ નથી. ત્યારે કોઈ ઈશ્વરવાદીઓ એમ પણ કહે છે કે આપણું ધાર્યું કાંઈ થતું નથી, ધણીએ ધાર્યું હશે તેમ થશે. હજા૨ હાથવાળો જેમ રાખશે તેમ રહેશું એટલે હજાર હાથવાળા આગળ લાગવગ લગાડી ભૌતિક સુખની તથા મોક્ષની ઉઘરાણી કરી યાચના કરે છે ને કહે છે, એ અર્થી હું અર્થ સમર્પક, એમ મત કરજો હાંસું.
પ્રગટ ન હતું તુમને પણ પહેલા, એ હાસાનું પાસું... પ્યારા
ભક્ત ભગવાન પાસે યાચના કરે છે પણ આ રીતે ઉઘરાણી કરવી તે ઘણી કપરી છે. વળી ઉઘરાણી શેની થાય ? આપણે જો તેને કાંઈ આપ્યું હોય તો તેની ઉઘરાણી થાય. આપણે ઈશ્વરને કાંઈ આપતા નથી ને ઉઘરાણી કરવી છે. આ અસત્ વ્યવહાર છે. વળી તે દેવા માટે બંધાયેલ નથી. આપવું કે ન આપવું એ તો તેની મરજીની વાત છે. જે તારી પોતાની ચીજ છે તેના પર જ તારો હકક છે તે તને તારી પાસેથી જ મળશે. પોતાની વસ્તુનો ઈચ્છીએ ત્યારે ઉપયોગ કરી શકીએ. તેમ આત્મધન આપણું છે. તેના પર આપણો પૂર્ણ અધિકાર છે. તે ધનને પ્રગટ કરવાનું છે. સત્ પુરષાર્થ દ્વારા તેની પ્રાપ્તિ સહજ થાય છે. કર્મનો વિલય થતાં સચ્ચિદાનંદ પ્રગટ થશે. પણ જે પાસે જ છે તેની ઓળખાણ પણ નથી. ચેતનનાં અનંતજ્ઞાન, દર્શન, ચારિત્રાદિ સ્વરૂપ ધન પડયું જ છે તેને પ્રાપ્ત કરી આનંદ લૂંટવાનો છે.
કવિશ્રી ચોથી કડીમાં કહે છે,
कंत विण मती माहरी अवाहडानी बोक,
ધોળ છું આનંવધન, અવર ને ટોળ...મીવડો... ||૪||
ચેતના કહે છે કે હે સખી ! પતિ વિના મારી બુદ્ધિ તો સાવ બહેર મારી ગઈ છે. જાણે કે મતિ કાંઈ કામ કરતી જ નથી. મારું મગજ ખાલી ખાલી લાગે છે. બુદ્ધિ તો જાણે હવાડાનો ખાળિયો જોઈ લ્યો. નાના