SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ રસ ૨૪૨ સિદ્ધાવસ્થામાં પણ પ્રત્યેક આત્માનું ભિન્નત્વ પૃથક પૃથક્ અવગાહનરૂપે સ્પષ્ટ વ્યક્ત અને ભિન્ન રહે છે. આ પૃથક આત્મવાદ છે. પૃથક આત્મવાદરૂપ પતિ મને અતિ પ્રિય છે. બીજાં દર્શનોમાં આત્મા સંબંધી વાતો મને ઈષ્ટ લાગતી નથી. આ રીતે શુદ્ર ચેતના કહે છે. આત્મા વિષે સર્વ દર્શનકારોની ભિન્ન- ભિન્ન માન્યતા વર્તે છે. વિશ્વમાં પર્દર્શન બતાવ્યાં છે તે બધાં તત્ત્વોથી જુદા પડે છે. જૈનદર્શનનાં પ્રણેતા સર્વજ્ઞ પરમાત્મા આત્માને નિત્યાનિત્ય કહે છે. જગતના સર્વ દ્રવ્યોથી ભિન્ન તથા જ્ઞાતા-દૃષ્ટાભાવ જેનો અસાધારણ ગુણ છે. જેનો કદી પણ લય થતો નથી. એવા ગુણયુક્ત આત્મા પ્રત્યેક શરીરે દેહ પ્રમાણ છે તથા સ્વતંત્ર છે. તે કોઈનો અંશ કે અંશી નથી. ગુણ અને પર્યાયથી યુક્ત એ આત્મ દ્રવ્ય છે. પર્યાયમાં ક્ષણે-ક્ષણે પરિવર્તન થતું હોવાથી તે અનિત્ય છે અને મૂળ જીવદ્રવ્યમાં કદી પણ ત્રણ કાળમાં પરિવર્તન થતું નથી માટે આત્માને નિત્ય કહ્યો છે. સર્વકર્મમળ દૂર કરી મોક્ષમાં જાય ત્યારે પણ તેનું અસ્તિત્વ સુસ્પષ્ટ જ રહે છે. એક વખત કર્મમળ દૂર થયા પછી ફરીવાર તેને કર્મ લાગતા નથી. એટલે મોક્ષમાં ગયા પછી ચેતનનું પુનઃ અવતરણ થતું નથી. કર્મને કારણે ચાર ગતિરૂપ સંસારમાં આત્મા પરિભ્રમણ કરે છે તથા પાંચ જાતિનાં વિધવિધ શરીરધારી બની જીવ વિચિત્ર અવસ્થાઓ ધારણ કરે છે. મોક્ષમાં સર્વ સિધ્ધો સમાન છે. જેમ અનંત સિદ્ધો સિદ્ધબુદ્ધમુક્ત અને નિર્વિકારી છે તેમ આ શરીરમાં વસનારો આત્માપણ એવો જ છે. છતાં પણ એક કર્મ સંયોગી છે તો બીજો કર્મ વિજો છે. એક કવિ કહે છે, તેરે મેં તન્મય રોવર, તેરા ન હોતા __ तुं विमल समल बस मैं हूं यह अंतर मिटादोजी।। મલિનતા અને વિમલતાનો ભેદ કર્મને કારણે છે. એક શરીરનાં બંધનમાં છે તો બીજો શરીર રહિત અવસ્થામાં છે. આ રીતે આત્માની નિત્યાનિત્યતા પ્રગટ છે. ઈશ્વર એક અંશ છે અને આત્મા તેનો અંશી છે. આ વાતનો સ્વીકાર જૈનદર્શન કરતું નથી. આત્મા જગતવ્યાપી નથી પણ દેહવ્યાપી છે. તે આ શરીરમાં ક્ષીર-નીરની માફક રહેવા છતાં દેહથી જુદો છે. જેમાં માનવ મૃત્યુ પામે છે ત્યારે ચેતન ચાલ્યો જાય છે અને દેહ પડ્યો
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy