SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ રસ ૨૪૦ ( પદ-૪) નીકો ના વતતો ને” - વ્યાપકવિશ્વમાં વિધવિધ પ્રકારની શક્તિઓ છે. દરેક શક્તિ પોતાના ક્ષેત્રમાં રહી કામ કરે છે તેમ એકબીજા પ્રાણીઓ પોતાની ઈચ્છા વ્યક્ત કરી શકે તથા સંવેદના દર્શાવી શકે તેવી શક્તિ છે તે છે શબ્દ. વૈયાકરણોએ ત્રણ પ્રકારની શબ્દશક્તિ બતાવી છે. (૧) અભિધા (૨) લક્ષણા અને (૩) વ્યંજના. સાંસારિક સંબંધોમાં પતિ-પત્નીનો સંબંધ અનોખો છે. એના પાયામાં પ્રેમ રહેલો છે. આધ્યાત્મિક જગતમાં ચેતન અને ચેતનાનો સંબંધ પ્રિયતમ અને પ્રિયતમા જેવો છે. ભૂલ દામ્પત્યપ્રેમ સંબંધમાંથી સૂક્ષ્મ આત્મચેતનાના વિકાસ સુધી પહોંચવાનું છે. સ્થૂલસાંસારિક સંબંધની વાત કરીએ તો આખો સંસાર એના વડે જ ચાલે છે. રામ કે કૃષ્ણ. આદિનાથ કે શંકર બધાના જીવનમાં પત્નીનો યોગ હતો પરંતુ એ યોગે અંતે તેઓને આત્મભાવમાં સંયોજી દીધા. મુનષ્ય હો યા પશુ-પક્ષી, દેવ હો યા ઇન્દ્રદરેકના જીવનમાં આવાયોગ સંયોગ છે. પત્નીને મન પોતાના પતિથી કશું જ વિશેષ નથી. પતિ વિયોગે સબળા લાગતી સ્ત્રી અબળા બની જાય છે. પતિ-પત્નીના સંબંધો જેવાં સંબંધ અન્ય જીવો સાથે હોઈ શકે નહીં. ચેતના તથા ચેતનનો પણ આવો જ સંબંધ છે. “આશાવરી” રાગમાં કવિ આ ચાલીસમા પદમાં કહે છે, मीठो लागे कंतडो ने खाटो लागे लोक, દંત વિદુખી જોવી તે, તે રણમાંદિ પો. મીહો. કા. આર્યસન્નારીનું ખાસ લક્ષણ છે કે પતિ જ તેને માટે પરમેશ્વર સમાન છે. એ જ તેના પ્રભુ છે. તેથી પતિ તેને મીઠો, મધુરો જ લાગે છે અને જગતનાં અન્ય પ્રાણીઓ ખારા લાગે છે. કવિએ આ પદમાં લોક શબ્દ મૂક્યો છે. જૈનદૈષ્ટિએ લોક એટલે જ દ્રવ્યનું જ્યાં અસ્તિત્વ હોય તે લોકમાં સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે “ો તો' –લોક એક છે. જેટલા આકાશમાં જીવાદિ દ્રવ્યો રહી શકે છે તેને લોક
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy