SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ અનુભવ રસ હે રાજમતી! તું આ યુવાનવયમાં મળેલ સુખભોગ ભોગવી લે પછી આપણે બંને જિનેશ્વરના માર્ગે જઈશું. આ શબ્દો સાંભળતા રાજમતીનું ક્ષત્રિય લોહી ઉકળી ઉઠયું ને સિંહણની માફક ગર્જના કરતાં રાજમતી કહે છે धिरत्थु तेऽजसोकामी, जो तं जीविय कारणा। वंतं इच्छसि आवेळ सेयं ते मरणं भवे।। ।। રાજમતી રહનેમિને કહે છેકેધિક્કર તમારા જીવનને જો સાધુવેશમાં આવા ભાવ જાગતા હોય તો તમારા માટે મૃત્યુ વધારે શ્રેષ્ઠ છે. રાજમતીના આવા કઠોર ને નિર્વિકારી શબ્દોથી માર્ગ ભુલેલ રહનેમિ સાચા માર્ગે આવ્યા ને સ્થિર થયા. ચેતનસ્વામી પણ સાવ ભોળિયા છે. તે પણ જેને તેને રવાડે ચડી જાય તેવા છે. માટે હે સમતા! તું તેને સમજાવી મારી પાસે મોકલ. ભોગ તૃષા, ચેતનને ભૂલાવામાં નાખી દેશે. યુક્તિ-પ્રયુક્તિ કરવામાં તે બાહોશ છે. ચેતન, આવી અધમ સ્ત્રીઓ સાથે ભટકયા કરે છે અને અમે બેઠાં બેઠાં જોયા કરીએ ને મનમાં ને મનમાં બળ્યા કરીએ, આવું ક્યાં સુધી ચાલશે? હે આનંદઘન, ચેતન, સ્વામી! આપ હવે મોહિનીની માયાજાળ તોડી નાંખો. મારા હૃદયમાં આપના પરોક્ષપણાથી વિયોગરૂપ દાહ ઉત્પન્ન થયો છે. તેની શાંતિ માટે પુષ્પરાવર્તના મેઘસમાન આપનું દર્શન આપો. કે જેથી મારા હૃદયનો દાહ શાંત થાય અને આનંદની છાયા છવાઈ જાય. આ પદમાં શુદ્ધચેતનાની અંતરવેદના વ્યક્ત થાય છે. કવિએ આ પદમાં બે મુખ્ય કાર્ય કર્યા છે. ચેતનની ભોગતૃષા અને શુદ્ધચેતનાની ફરિયાદ ચેતનને ઉપદેશ દેવામાં આવ્યો છે કે ત્યાગ અને વૈરાગ્યથી આનંદધામની પ્રાપ્તિ થાય છે. વિષયવાસનાથી વાસિત મન નથી શાંતિ લેતું કે નથી શાંતિ લેવા દેતું. શુદ્ધચેતના આનંદઘન પ્રભુને વિનંતી કરે છે કે અમને અમારા પ્રભુનો સુયોગ ગોઠવી આપો, કહ્યું છે, “સાચો સંગમ પ્રભુ સાથે હજુએ ના થયો, એ દિશામાં રેલો મારો, હજુએ ના ગયો. શુદ્ધચેતનાને શુદ્ધ ચેતનનો સંગમ આજ સુધી થયો નથી. ચેતન
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy