________________
૨૩૭
અનુભવ રસ છે. તો પણ તેરમા સયોગી કેવળી ગુણસ્થાનક વિના ચેતન સ્વામીને પ્રત્યક્ષ મળી શકતી નથી અને ચેતનનો સાક્ષાત્કાર થયા વિના ચેતના ઠરીને ઠામ બેસતી પણ નથી.
આવી સ્થિતિમાં ચેતનાના ઉદ્ગારો કેવા સરી પડે છે તે કવિશ્રી ત્રીજી કડીમાં વર્ણવે છે. __ मोहनी मोहन ठग्यो जगत ठगारी री।
કી ની શાનંદન, લાદ મારી છે...તરસવી..પારૂ ા.
શુદ્ધ ચેતના કહે છે કે ભોગતૃષ્ણા (તૃષા) એવી તો ભૂંડી અને ઠગારી છે કે તે આખી દુનિયાને ઠગે છે. તે તો નિત્યપ્રતિ નવયૌવના સમ રહે છે અને તેની પાસે આવનારાઓ યુવાન છતાં વૃદ્ધ દેખાય છે. સબળ – નિર્બળ જણાય છે. કારણ કે ભોગેચ્છા તેનું સર્વ સત્ત્વ હણી નાંખે છે. ભોગતૃષ્ણાનું રાજ્ય નાના, મોટા, યુવાન, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ, ગરીબ, તવંગર, રાજા, પ્રજા, ગામડું, શહેર કે જંગલ ભણેલા કે અભણ બધાનાં હૃદય પર તેનું રાજ્ય વિસ્તરેલું છે તથા હૃદય સિંહાસન પર બેસી આરામથી રાજ્ય ભોગવે છે. બિચારો ચેતન તેના તરફ ખેંચાય છે અને દુઃખી થાય છે. અરે ! ભોગની ભૂતાવળ તો સાધુને પણ ચોંટી જાય છે. વિશ્વામિત્ર પણ તેની છાયામાં આવી ગયા હતા. ખુદ ભોગેચ્છા મેનકાનું રૂપ લઈને તપસ્યા કરવાં વિશ્વામિત્ર પાસે નૃત્ય કરવા લાગીને છે વટે તપસ્યાનો ભંગ કરાવ્યો.
હે આનંદઘન પ્રભુ! મારો ચેતનનાથ પણ ઠગારી ભોગતૃષામાં ઠગાઈ ગયો છે. પણ જો તેની પાસે સ્વરૂપજ્ઞાન હોત તો આ ઝંઝટ ઊભી જ થાત નહીં. પણ હવે તો એને આ બધું બહુ ફાવી ગયું છે. માટે હે સમતા! તું મારું આ અગત્યનું કામ કરી આપ. ઉત્તરાધ્યયનસૂત્રના બાવીસમા અધ્યયનમાં કહ્યું છે,
रहनेमी अहंभये, सुखे चारुभासिणी
ममं भयाहि सुयणु, न ते पिला भविस्सई।। રહનેમિને ભોગવાસના એ ભરમાવ્યા તેથી પોતાની સાધ્વી ભાભી ઉપર આસકત થયા, પોતે સાધુ છે સામે સાધ્વી રાજમતી છે. તેનું પણ ભાન ભૂલ્યા અને કહે છે કે અત્ત મોરી તો પછી નિખ માં વરિરસામો!
..