________________
૨૩૫
અનુભવ રસ
નાંખે છે. માનવને એક બાણથી જો ઘાયલ કરી શકાતો હોય તો જેનાં ઉપર પાંચ ઇન્દ્રિય અને મનના કામબાણની વર્ષા થાય તેની તો શી દશા થાય ? ચેતન માટે પણ મારા મનમાં એવો જ ભય છે. મોહને મહાત કરવો ઘણો મુશ્કેલ છે.
ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ કહે છે,
-
રાગ કેશરી છે વડ રાજા રે, વિષયાભિલાષ તે મંત્રી તાજારે, જેહુના છોરુ ઇન્દ્રિય પંચોરે, તેહનું કીધો એ સફળ પ્રપંચો રે. મોહરાજાનો સૌથી મોટો પુત્ર તે રાગ કેશરી છે. તે બાપની ગાદી ૫૨ આવી બેઠો છે. આ રાગ એવો તો ચપળ અને ચંચળ છે કે તેની નજરમાં જે કોઈ એક વખત આવે તે ભોગપંકમાં ફસાઈ જાય છે. વિષયની તૃષ્ણા તે મોહ કટક દળ છે. તેને વશ કરવા પ્રબળ પુરુષાર્થ જરૂરી છે. મોહનીયકર્મ બધાંને ઊંધા ચશ્મા ચડાવી દે છે. જેમ કૂતરો હાડકાંને – લઈને ચાવે છે. હાડકામાં કોઈ ૨સ નથી, પણ હાડકું ચાવતાં – ચાવતાં તેના મોઢામાંથી લોહી નીકળે છે. કૂતરો પોતાના જ લોહીના ભ્રમથી હાડકાંનો સ્વાદ માની લે છે. બસ, સર્વ સંસારી જીવોની કૂતરા જેવી દશા છે. પુદ્ગલસુખની ઈચ્છા તે હાડકાંને બટકાં ભરવા સમાન છે. માટે કે સમતા! હવે તું મારા સ્વામીને સમજાવી ઘરે લાવ, કારણકે હવે હું પ્રમત્તદશા છોડી અપ્રમત્તદશા વડે મારા સ્વામીની આજ્ઞા ઉઠાવવા તત્પર બની છું. સ્થિરતારૂપ ઘ૨માં સ્વામીનો પ્રવેશ નહીં થાય ત્યાં સુધી મને ચેન પડશે નહીં. હવે શુદ્ધચેતના ચેતનને વિનવે છે. તે કેવી રીતે એ બીજી કડીમાં જોઈએ.
सायक लायक नायक, प्रानको पहारीरी
વાનર ા બનનાન, વાળ ન દું વારી રી...તરસી...।।૨।।
ચેતન ૫૨ જ્યારે ભોગ તૃષ્ણા ઘેરો ઘાલે છે ત્યારે પાંચેય ઇન્દ્રિયોનાં વિષયાદિ બાણો તેને વીંધી નાખે છે. આવું તીક્ષ્ણ શસ્ત્ર તેનાં પ્રાણ હણનાર નીવડે છે. પુરાણકાળમાં અભ્યસ્ત્ર, વાયવાસ્ત્ર વગેરે શસ્ત્રો હતાં જે શત્રુઓનાં શિરને ઊતારીને જ આવતાં એ રીતે કામબાણ જેને લાગે તેની પણ દુર્દશા થાય છે. ચેતન, વિષય સુખની લાલસાથી લલચાય છે ને પછી દુઃખી થઈ નિજ સ્વરૂપને ભૂલી જાય છે. વિષયાંધ બનેલ