________________
અનુભવ રસ
૫૪-૩૯
૨૩૪
“તરસ હી ગડું - વઘુ ળો વળી સવારી રી”
કવિશ્રી આનંદઘનજી કહે છે કે ચેતનની હવે આંખ ઉઘડી છે. તેણે હવે સ્વઘરે પધારવા પ્રયાણ કર્યું છે. ચેતના, ચેતનને સમ્યગ્દષ્ટિથી ચકોરી માફક જોઈ રહી છે. ચેતન જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ ચેતનાની ઈન્તેજારી વધતી જાય છે. પણ અનુભવી કહે છે કે આવા ઉત્તમમાર્ગો ઘણી વખત લપસણા હોય છે. ક્યારે ગબડી પડીએ તે કહી શકાય નહીં. આ વાતને લઈને શુદ્ધ ચેતના, શુદ્ધ ચેતનને અનુલક્ષીને સમતાને વાત કહી રહી છે.
માનવમાત્રનો સ્વભાવ છે કે તેની આદત કોઈ પણ નિમિત્ત મળતાં છૂટી જાય છે. પણ સંસ્કાર પાછા જાગૃત થઈ જાય છે. મન ગુલાંટ ખાઈ જાય છે. મનની વૃત્તિઓ ક્યારે ઉછાળો મારે છે તે કહી શકાય નહીં, માટે કવિએ આ ઓગણચાલીસમા પદમાં કહ્યું છે,
तरस की जई दइ कौ दइकी सवारी री
तीक्षण कटाक्ष छटा लागत कटारी री... तरस...।।३।। શુદ્ધચેતના સમતાને કહી રહી છે કે હે સખી ! હું તો મારા પતિને તરસી રહી છું તથા તેની રાહ જોઈ રહી છું અને તેના વિયોગે બળી રહી છું. ચેતન જ્યારે સ્વ સ્વરૂપમાં સમાઈ જાય છે પછી તો કાંઈ ચિંતા નથી પણ જ્યાં સુધી મન ઠેકાણે ન હોય ત્યારે મોહનીયકર્મ તો જોર કરવાનું જ. ચેતનની આંતરવૃત્તિ સ્વરૂપમાં જોડાતા મોઢુ મોળો પડી જાય છે. પણ ચેતન જ્યાં સુધી વ્યવહારર્દષ્ટિમાં હોય ત્યાં સુધી તો તેને પૌલિક સુખની આકાંક્ષા રહે જ છે. પાંચેય ઇન્દ્રિયોનાં સુખભોગની કામના થયા કરે છે. પણ ચેતન જો પોતાને સંભાળી લે તો કર્મ ઉદયમાં આવીને ચાલ્યા જાય છે પણ કર્મ સામે નજર કરતાં તો કર્મની મોટી ફોજ ઊભેલી દેખાય છે. મોહરાજા તો ઘણું મોટું લશ્કર લઈને આવ્યા છે. આ જોતાં મારો ભ્રમ ભાંગી ગયો. આ મોહરાજા ચેતનને કામબાણથી ઘાયલ કરતાં કાંઈવાર લાગતી નથી. યુવાન સુંદરીનાં નયન કટાક્ષ પુરુષ હૃદયને આરપાર ભેદી