________________
૨૩૧
અનુભવ રસ તેને પહેલાં વશ કરો પછી સંયમમાર્ગે જજો. ત્યારે નમિરાજર્ષિ કહે છે,
जो सहस्सं सहस्साणं, संगमे दुज्जइ जिणे।
નિષ્ણ અMTS, ઈસ સે પરમો : દુર્જયસંગ્રામમાં દશ લાખ અને સહસ્ત્રો સુભટોને જીતવા કરતાં એક આત્માને જીતવો વધારે ઉત્તમ છે. આત્મવિજય એ સર્વોત્તમ વિજય છે. આ પ્રમાણે ત્યાગમાર્ગની કઠિનતા તથા કર્તવ્ય તરફ કટિબદ્ધ કરવા સંબંધીઓ વગેરે અનેકાનેક પ્રયત્નો કરે છે. પરંતુ ભોળા લોકો સમજતા નથી એ જ એનું ભોળપણ છે. પણ જેણે એક વખત સત્સંગનો રસ પીધો હોય તેને અન્યરસ મીઠો ક્યાંથી લાગે? શ્રી યશોવિજયજી મહારાજ કહે છે,
લોકલાજ મેં જો ચિત્ત ચોરે. સો તો સહજ વિવેક હી સુના પ્રભુગુન ધ્યાન વગર ભ્રમ ભૂલા, કરે કિરિયા સો રાતે રૂના,
ધાડેધાડે સાંભરે સાંઈ સલુણા.... લોકલાજમાં જેનું ચિત્ત ચોરાયેલું છે તે વિવેકરહિત બને છે, પણ પ્રભુગુણ ધ્યાનમાં જેનું ચિત્ત લાગેલ છે તેનો ભ્રમ ભાંગી જાય છે. ઉપયોગ વિનાની ક્રિયા નિષ્ફળ છે. જેણે પ્રભુગુણનો રસ એકવાર ચાખ્યો છે તેને જડ પદાર્થોમાં પ્રેમ ક્યાંથી આવે? તેને એ બધું શેરડીના કૂચા જેવું લાગે છે. જેમાં રસ બિલકુલ નથી. માટે જ કવિ કહે છે કે સર્વ સંબંધોનો ત્યાગ કરી સાચા સ્નેહને પિછાણી હું મારા આત્મદેવને પ્રેમ કરું છું. હવે ચેતના તથા ચેતનનો પ્રેમરસ કેવો છે તે વર્ણવતાં કવિ કહે છે, ओराहनो कहा कहावत ओर, नाहि न कीनि चोरी; काछ कछयो सो नाचत निवहेई, और चाचरी चरी कोरी - मनसा।।४।।
શુદ્ધ ચેતના, સમતાને કહે છે કે હું મારી અંગત વાત બીજાને શા માટે કરું? ચેતન સાથે મેં જે સંબંધ બાંધ્યો છે તેમાં મેં કાંઈ થોડી ચોરી કરી છે? મને તેનાં પ્રેમરસનો રંગ લાગ્યો છે અને તેમાં જ આનંદનો અનુભવ થાય છે. પ્રેમ કદી છુપાવ્યો છુપાવી શકાતો નથી. જેમ સાકર જે ખાય તેને તેનો સ્વાદ આવે તેમ જે પ્રેમરસ ચાખે તેને જ આત્મપ્રાપ્ત થાય. સંત કબીરે પણ કહ્યું છે કે
પ્રેમ છુપાયાના પે, જિસ દિલમેં સચ્ચા હોય, પ્રીતિ મુખ સે ના કહે, પ૨ નૈ નોં પે મસે રોય: