________________
અનુભવ ૨સ
मात तात सज्जन जात, बात करत है भोरी ! चाखें रसकी क्युं करी छूटे ? सुरिजन सुरिजन होरी हो... मनसा ।।३।। સુમતિ, આપણે ત્યાગમાર્ગે જઈએ તો રોકનારા ભોળા માણસોનો આ સંસારમાં તોટો નથી. માતા-પિતા, સગા-સંબંધીઓ આપણને એ માર્ગે જતાં અટકાવે છે તથા તે માર્ગની કઠિનતા આપણી સામે ૨જૂ ક૨ે છે. તેમ છતાં ન માનીએ તો કર્તવ્યધર્મની વાતો કરે છે. સંસારી લોકો વૈરાગ્યવાસિત માનવને ત્યાગમાર્ગથી રોકવા કેવા કેવા પ્રયત્નો કરે છે તે વાત ઉત્તરાધ્યયનસૂત્રમાં મૃગાપુત્ર દીક્ષા લેવા તૈયાર થાય છે ત્યારે મા– બાપ તેને સંયમની દુષ્કરતા કેવી છે તે સમજાવતા કહે છે કે બેટા ! તારૂં શરીર તો સુકોમળ છે આ ભયંકર ગરમીમાં તું ખુલ્લે પગે કેમ ચાલીશ ? ત્યારે મૃગાપુત્ર કહે છે,
जहा इहं अगणी उण्हो, इतो अनंत गुणो तहि नरसु वेपणा उण्हा, असाया वेइया मए "
૨૩૦
હે મા ! અહીં કરતાં અનંતગણી અગ્નિની વેદના મેં નરકમાં ભોગવી છે. તો મા કહે છે કે પણ બેટા ! આ કડકડતી ઠંડીમાં ખુલ્લે શરીરે કેમ જીવી શકાશે. તારાથી એ કેમ સહન થશે ? મા ! નહા ફĒ રૂમ સીયં, yતોડનંત ાળે તર્દિ' અહીંથી અનંતગણી ઠંડી પણ એકવાર નહીં અનેકવાર નરકભૂમિમાં ભોગવી છે. આવી જ રીતે જ્યારે નમિરાજર્ષિ રાજ્યત્યાગ કરી દીક્ષા લઈ જંગલવાસ કરે છે ત્યારે સ્વજનો તથા મિથિલા નગરીનાં લોકો શોકગ્રસ્ત બની જાય છે. એવા સમયે ઇન્દ્ર મહારાજ નમિરાજર્ષિને સમજાવવા આવે છે અને કહે છે,
एस अग्गी य वाऊय, एयं डज्झई मंदिरं । भगवं अंते उरं तेणं, कीसणं नाव पेक्खह ।।
હે ભગવાન ! અગ્નિ અને પવનથી આ મંદિરે ( શરી૨ ) બળી રહ્યું છે વળી મિથિલાનગર તથા અંતઃપુર પણ બળી રહ્યું છે. તમે તેના તરફ દૃષ્ટિ કરતા નથી તેનું શું કારણ ? નમિરાજર્ષિ કહે છે, ‘નિહિતાÇ કામાળÇ, 7 મે હાફ વિળ “હે દેવેન્દ્ર ! મિથિલાનગરના બળવાથી તેમાં મારું કાંઇપણ બળતું નથી. જ્યારે નમિરાજર્ષિ કોઈપણ રીતે માનતા નથી ત્યારે પાછો ઇન્દ્ર કહે છે કે હે રાજન ! જે રાજાઓ તમને આજ સુધી નમ્યા નથી