________________
૨૨૭
અનુભવ રસ
પદ-૩૮
'मनसा नट नागरसूं जोरी हो"
અધ્યાત્મની ઉન્નત ટોચને સ૨ કરી, જ્ઞાનગરિમા વધારી, કર્મ જંજીરને તોડવા કટિબદ્ધ થયેલા એવા શ્રી આનંદઘનજી મહારાજે ચેતન અને ચેતનાના સંબંધનું વાસ્તવિક દર્શન કરાવ્યું છે. ચેતન અને ચેતનાનો સંબંધ, દીપક અને પ્રકાશ જેવો છે.
આજ સુધી સુમતિ, ચેતનને સમજાવતી હતી પણ હવે ચેતનમાં વાસ્તવિક સ્વભાવભાન આવતાં સુમતિ તથા શ્રદ્ધા એક થઈ શુદ્ધ ચેતનામાં મળી જાય છે. જેમ પ્રયાગમાં ગંગા, યમુના અને ગોદાવરીનો ત્રિવેણીસંગમ રચાય છે તેમ બારમા ગુણસ્થાનકના અંતે સુમતિ, શ્રદ્ધા અને શુદ્ધચેતનાનો ત્રિવેણીસંગમ થાય છે. બારમા ગુણસ્થાનકનો છેલ્લો સમય અતિ પવિત્ર ગણાય છે કારણકે ચેતન ત્યાં સ્નાન કરી ઘાતીકર્મોની મલિનતાથી, મુક્ત બની પરમપવિત્ર બની શુદ્ધ આત્મ મંદિરમાં પ્રવેશ કરે છે. જ્યાં દુઃખ કે શોકની કાળીઘેરીવાદળી સ્પર્શી શકતી નથી પણ ચેતન તથા ચેતનાની એકરૂપતા થતાં આનંદ વર્તે છે.
*
“મારૂ રાગ”માં લખાયેલ આ આડત્રીસમા પદમાં કવિ કે છે, मनसा नट नागर सूं जोरी हो, मनसा नट नागरसूं जोरी हो, नट नागरसूं जोरी सखी हम, और सबनसँ तोरी हो... मनसा । । १ ॥
હવે શુદ્ધચેતના પોતાની વાચા ખોલે છે ને કહે છે કે હે સખી ! શુદ્ધ ચેતન એવા આત્મદેવ સાથે હવે મેં તો મન જોડી દીધું છે. હવે મને તેની માયા લાગી છે. એકની સાથે પ્રીત બાંધ્યા પછી બીજે ક્યાંય બાંધવાની રહેતી નથી. પછી તો જગત ઝેર સમાન કડવું – કડવું લાગે છે. મીરાં કહે
છે,
મુખડાની માયા લાગી રે... મોહન પ્યારા
મુખડું મેં જોયું તારૂં, સર્વ જગ થયું ખારું, મન મારું રહ્યું ન્યારૂં રે... મોહન પ્યારા મીરાંને મોહનની પ્રીત લાગી છે. મોહનનો પ્રેમ લાગ્યા પછી તેનું