________________
૨૨૬
અનુભવ રસ માનવભવ પામી અધૂરી સાધના પૂર્ણ કરી પૂર્ણપદ પામે છે. તેથી સમકિત દોરી અને શીલ લંગોટી વડે તે યોગમાર્ગમાં પ્રગતિ કરે છે. પછી તે પાપરૂપ કાદવમાં ફસાતો નથી.
કવિશ્રી આનંદઘનજી સ્વાનુભવ દ્વારા કહે છે કે ઉત્તમ યોગબળ મળ્યું હોવા છતાં ગુરુ વિના તેની પ્રાપ્તિ થતી નથી. ગુરુની કૃપાથી કેવી દશા પ્રાપ્ત થાય છે તે શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે,
“સદ્ગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન; નિજ પદ નિજમાંહી લહ્યું, દૂર થયું અશાન,
સદ્દગુરુના ઉપદેશથી અપૂર્વ ભાન થાય છે. જેમાં જિનપદ પોતામાં જ દેશ્યમાન થાય છે. અનાદિનું અજ્ઞાન દૂર થતાં ધ્યાતા – ધ્યાન – ધ્યેયની એકતા સધાય છે. આત્મસ્વરૂપ પ્રગટ થાય છે. કવિએ ભાવવંશની વાત કરી છે.
શ્રી બુદ્ધિસાગરજી મહારાજ પણ કહે છે, "अनुभव अमृत भिक्षा मागु, हुं तो धूणी संयमनी जगाउँ रे... जोगी अंतर आतम परमातमनी, ऐकय भावना भांग घुटावं रे... जोगी मन प्यालामां भरीने पीतां, देखें उलटी आंखे सुख पावू रे... जोगी बुद्धिसागर योग महोदय, पामी निश्चय निर्भव थाउँ रे... जोगी
કવિએ આ પદમાં યોગીઓનાં ઉપકરણોને, આધ્યાત્મિક અર્થમાં ઘટાવ્યાં છે. આ એમની ઉન્નતિ કલ્પનાશક્તિ અને દૃષ્ટિનો પરિચય કરાવે