________________
૨૨૫
અનુભવ રસ મુગતિ સંસાર બેઉ સમજાણે” - સાધક! સંસાર અને મોક્ષ બંનેને સમાન ગણે છે. આમ પ્રગતિ કરતાં કરતાં જે રૂપસ્થ ધ્યાની રૂપાતીત ધ્યાનમાં પ્રવેશ કરે છે. પહેલાં તે પ્રભુને અને પોતાને જુદો ગણતો હતો પણ હવે પોતે જ ઈશ્વર સ્વરૂપ છે તેવું અનુભવે છે. પહેલા તે ઈશ્વરને પૂજતો હતો, ભમતો હતો પણ હવે મોઢામાંથી શબ્દો સરી પડે છે કે અહો-અહો હું મુજને કહ્યું “નમો મુજ નમો
મુજ રે”
આ શબ્દો પોતાનું મહત્વ વધારવા માટે કે પૂજા ભક્તિ માટે બોલવામાં આવ્યા નથી પણ સાધકની આ ચરમ અવસ્થા છે. આ સ્થિતિએ સાધક સ્વયંને ઈશ્વર સ્વરૂપ જુએ છે. તેથી કહે છે કે હું મને જ નમસ્કાર કરું છું. ઈશ્વર બીજો કોઈ નથી પણ હું પોતે જ ઈશ્વર સ્વરૂપ છું. ગપ્પા સો પરમMા” આત્મા જ પરમાત્મા છે. ધ્યેયનું ધ્યાન કરતો હતો પણ મારો અને તેનો તો અભેદ સંબંધ છે. હું અને ધ્યેય સરખા જ છીએ. શક્તિ – વ્યકિતમાં ફેર પડે પણ યોગ્ય પ્રયાસથી શક્તિગત જે ગુણો છે તે વ્યક્ત થઈ જાય છે.
આવી સ્થિતિએ પહોંચ્યા પછી શુદ્ધ ચેતના તથા ચેતનાનો એવો સહયોગ થઈ જાય છે કે આ વાક્ય ચેતના બોલે છે કે ચેતન એ પ્રશ્ન જ રહેતો નથી. યોગીઓ યોગસાધના કરતાં કરતાં કદાચ અધૂરી સાધના સાથે આયુષ્ય પૂર્ણ કરે તો તે શ્રીમદ્ ભગવતગીતા કહે છે કે “શુવીનાં શ્રીમતાં નેદે યોજમ્રોડમિનીયતે” “યોગભ્રષ્ટ જીવ યોગીના ઘરે અથવા શ્રીમાનના ઘરે જન્મ ધારણ કરે છે. જૈનશાસ્ત્ર કહે છે કે “ટિન સેg. નવસત્તમાં” સાધક સાધના કરતાં આયુષ્ય પૂર્ણ કરે તો સર્વાર્થ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય છે. જો ફકત સાતલવનું આયુષ્ય હોત તો અવશ્ય મોક્ષપદ પામતા પરંતુ એટલું આયુષ્ય અલ્પ હોવાને કારણે તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળાદેવ બનવું પડે છે પણ તે દેવભવ પછી એક મનુષ્યનો ભવ કરી અવશ્ય મોક્ષ મેળવે છે. પણ સંસારમાં અથડાતો નથી. તેથી ચેતના કહે છે કે મારો ચેતનરામ જો યોગ સિંહાસન પર આરૂઢ થાય તો નિરંજનપદનું ધ્યાન કરતાં તેવા પદને પામે છે નહીં તો દેવેન્દ્ર તો અવશ્ય થાય છે. તે આસનસિદ્ધ બની અનુત્તરવિમાનમાં જાય છે પછી