________________
અનુભવ રસ
૨૨૪ જે સાધક પોતાના બુદ્ધિબળથી સાધના માર્ગે આગળ વધે છે અને સદ્ગના યોગને ઈચ્છતા નથી તેમજ ગુરુકુળવાસનો સ્વીકાર કરતા નથી તેનો સ્વછંદ રોકાતો નથી પણ પોષાય છે માટે આત્માર્થીઓ ગુરૂકુળવાસ કરે છે.
કવિ આગળ વધીને કહે છે કે યોગીઓ શંખનાદ અથવા બીજા વાજિંત્રો વગાડે છે તેમ હું પણ કરૂણાનાદ કરી “મા હણો, મા હણો” નો અવાજ ફૂકીશ.
ઈશ્વર કરૂણાસિંધુ છે. તેમાંથી એકાદ કરૂણાનું બિન્દુ લઈ હું પણ ઘરે ઘરે દરેકમાં તન-મનમાં અને જન-જનમાં અહિંસાનો સંદેશ ફેલાવીશ. જે બીજાને હણે છે તે સર્વ પ્રથમ પોતે જ પોતાને હણે છે. દ્રવ્યહિંસામાં ભાવહિંસા સમાઈ છે માટે જ કરૂણાનાદ બજાવવાની વાત કરવામાં આવી
સુમતિ, ચેતનને કહે છે કે હે વ્હાલા! આવા મહાપુરૂષનો ચેલો બની મોહરાજાના કાન વીંધી ઉત્તમધ્યાનની શ્રેણીએ ચડી જગતમાં જીવોને “મા હણો મા હણો' નો ઉપદેશ આપો અને મારા મંદિરે પધારી મારી વિરહવ્યથાને દૂર કરો. મારા પર કૃપાદૃષ્ટિ કરી, રસરંગમાં રેલી કરો. હે નાથ! પધારો... પધારો પધારો....
કવિ આગળ શું કહે છે તે જોઈએ. इह विध योग सिंहासन बैठा, मुगति पुरी कुं ध्याउं; आनंदघन देवेन्द्रसे योगी, बहुर न कलिमें आउं रे वहाला।
તા ના... | ક | હવે શુદ્ધ ચેતના કહે છે કે ચેતનનું મન તો હવે યોગમાં આસકત થઈ ગયું છે. તે યોગ સિંહાસને બેસી અજરામરપદનું ધ્યાન કરે છે.
સાધક, સર્વપ્રથમ સાલંબન ધ્યાન કરે છે. જેમાં ધ્યાનનો ક્રમિક વિકાસ થાય છે. પછી ધીરે ધીરે માનસિક પ્લાન થાય છે. ત્યારબાદ શુભધ્યાનમાં લીન બની ધ્યાતા–ધ્યેય તદાકાર બની જાય છે. ત્યારબાદ શુભધ્યાનમાં લીન બની ધ્યાતા-ધ્યેય તદાકાર બની જાય છે. ચેતન જે સમતા સ્વરૂપ હતો તે હવે શાંતિ સ્વરૂપ દેખાય છે. માટે જ શાંતિનાથ પ્રભુના સ્તવનમાં કવિએ કહ્યું છે,