SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ રસ ૨૨૨ કર્મબંધ કરે છે અને શુભધ્યાને કર્મથી મુક્ત બને છે. આવા ધર્મધ્યાન અને શુક્લધ્યાનરૂપ અગ્નિમાં કર્મરૂપી છાણાને બાળી પછી તેની રાખ ઉપશમ ગળણાથી ચાળીને તે ભસ્મ શરી૨ ઉપ૨ ઘસી ઘસીને લગાવવામાં આવે છે. રાખમાં કચરો કે નાના કાંકરા, કાંકરી વગેરે રહી જાય છે. માટે કવિએ ચાળવાની વાત કરી છે. ઉપશમ ચાળણી એટલે નિવૃત્તિ ભાવરૂપ ચાળણી. આ કડીમાં કવિએ ઉપશમને ચાળણીનું રૂપક આપ્યું છે. નિવૃત્ત ભાવની ચાળણી વડે કર્મ છાણની રાખને ચાળી શરીર પર મસળી મસળીને લગાવવી તેનો અર્થ એ છે કે જે કર્મનો હજુ વિપાકોદય થયો નથી પણ પ્રદેશો વડે ઉદીરણા કરી કર્મ ભોગવી લેવાં જેથી ચેતન કર્મમલરહિત બની જાય છે એટલે કે જન્મમરણ રહિત થઈ જાય છે. આ પ્રકારની સાધનાથી ભવની ભાવઠ ભાંગી જાય છે. ચેતન તથા ચેતનાનો અભેદ સંબંધ સ્થાપિત થાય છે. વાસ્તવમાં ચેતન-ચેતનાનો અભેદ સંબંધ તો છે જ પણ કર્મોની દિવાલ આવી જતાં ચેતન-ચેતનાની ભિન્નતા વ્યવહારદૃષ્ટિએ લાગે છે. પુદ્ગલરૂપ કર્મ ચેતનને સંસાર પરિભ્રમણ કરાવે છે. આ કર્મ નાશની ચાવી સદ્ગુરુ પાસે છે. ગુરુ વિના જ્ઞાન નહીં માટે સદ્ગુરુના ઓથે કર્મથી મુક્ત થવાય છે. હવે ગુરુનો મહિમા કવિ કેવો વર્ણવે છે તે જોઈએ. आदि गुरुका चेला होकर, मोहके कान psis; ઘરમ શુલ વોય મુદ્રા સોહે, બાનાવ વખાણું રે વહાલા!તા નો.. રૂ ॥ આ કડીમાં ગુરુને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. વળી યોગાભ્યાસ માટે ગુરુ શરણ અતિ આવશ્યક છે. કબીર કહે છે, गुरु गोविंद दोनो खडे, किसको लागुं पाय; बलिहारी गुरु आपकी, जिसने गोविंद दियो बताय। ' કબીરે ગોવિંદ કરતાં ગુરુની મહત્તા બતાવી છે, કારણકે ગોવિંદને ઓળખાવનાર ગુરુ છે માટે ગુરુનો પ્રથમ ઉપકાર છે. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે, ‘પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર” જિનેશ્વરનો માર્ગ ઉત્તમ હોવા છતાં માર્ગ બતાવનાર ગુરુ પ્રથમ
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy