________________
અનુભવ રસ
૨૧૪
પદ-૩s
વારે નાદ સંગ મેરો” માનવહીરાના સાચાપારખુ શ્રી આનંદધનજી મહારાજે પોતાનાં આધ્યાત્મિક પદોમાં સુમતિના મુખે એની દશાનું વિધવિધ રીતે વર્ણન કર્યું છે. જેમ ગૃહજીવનમાં યુવાની ધન કમાવાની અવસ્થા છે તેમ સાધક માટે યુવાની એ આધ્યાત્મિક સાધના કરવાનો સમય છે. માટે યુવાનીને માનવ જીવનની સર્વશ્રેષ્ઠ અવસ્થા ગણવામાં આવે છે.
“માલસિરિ રાગમાં લખાયેલા આ પદમાં સુમતિ, એક જ અવસ્થામાંથી પસાર થતી હોય તેમ અફસોસ વ્યક્ત કરે છે.
वारे नाह संग मेरो, युहीं जीवन जाय; વિન ન રહેનન જે સાની, રોતે રેન વિદાય.વારે.. ? |
સુમતિ! ચેતનને વારંવાર સમજાવી રહી છે, તેણે અનુભવને ચેતન પાસે મોકલાવ્યો અને પોતે શ્રદ્ધા પાસે આવી. શ્રદ્ધાએ સુમતિને, પોતાને મંદિરે જવા કહ્યું અને ચેતનના સ્વાગતની તૈયારી કરવા ભલામણ કરી. સુમતિ સોળ શણગાર કરી શયનગૃહમાં ગઈ પણ ચેતનનાથ આવ્યા નથી તે ખ્યાલ આવતા ને શયનકક્ષ ખાલી જોતા નિરાશ થઈ ગઈ. તેથી શૈયા પાસે બેસી, શોક કરી પાછી તે શ્રદ્ધા પાસે આવે છે અને વાત કરવા લાગે છે.
હે સખી! મારા પતિ ચેતન તો મારી પાસે આવતા જ નથી. તેને મારો સંગ ગમતો નહીં હોય? હે સખી! યુવાનીના દિવસો મૂલ્યવાન ગણાય છે, આ અવસ્થામાં સ્ત્રી પોતાના પતિ સાથે કેવો આનંદપ્રમોદ કરે, પરંતુ મારે તો આ દિવસો રોઈ રોઈને કાઢવાના છે. યૌવનના આવા સોનેરી દિવસો, મારા તો આમ ને આમ ચાલ્યા જાય છે.
- શ્રી બુદ્ધિસાગરજી મહારાજ લખે છે “આત્મા જ્યારે ક્ષયોપશમ ભાવ વર્તતો હોય ત્યારે તેની બાલઅવસ્થા ગણાય છે. કારણકે શુદ્ધ ચેતનને શુદ્ધચેતનાનું પ્રત્યક્ષમિલન તેરમા સયોગી ગુણસ્થાનકે થાય છે. ક્ષાયિકસમકિત અને ક્ષાયિકભાવ આવ્યા વિના આ ગુણસ્થાનક આવી