________________
૨૧૩
અનુભવ રસ આંતરિક શાંતભાવરૂપ ચંદ્ર સમજવો અને ચારિત્રરૂપ આમ્રવૃક્ષની અનુભવ કલિકારૂપ મોર સમજવો. આ સર્વ હેતુઓ આપણાં મિલનમાં પ્રેરક બને છે. પરસ્વભાવમાં રાચવું અને માચવું, આનંદ માનવો એ જ બાહ્ય પ્રદેશાગમન છે. બાહ્યપ્રદેશ ગમનથી કદી પણ સુખ મળતું નથી. આત્મ સ્વભાવમાં રમણતા કરવી તે અંતરપ્રદેશ ગમન છે કે આનંદઘન પ્રભુ ! હવે આપ અંતરપ્રદેશમાં આવીને કે અંતરાત્મ નવલનાગર ! તું મને સુખ આપ, અંતરપ્રદેશગમનથી અનંત સુખ પ્રગટ થશે.
કવિનું આ પદ લાલિત્યસભર છે, અત્યંત સુંદર છે. કવિએ સુમતિની વિરહવેદનાની ઉત્કૃષ્ટતાનું અને મિલનની પ્રબળ આશાનું વર્ણન સાંસારિક વિરહિણીની વ્યથાના વર્ણનનો આશ્રય લઈ કર્યું છે.
મ
טל