SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ રસ ૨૧૦ જાય છે અને સુમતિ એક સૌભાગ્યવતીને શોભે એવો શૃંગાર સજે છે. હાથ, પગ, કાન, નાક ને ગળામાં આભૂષણો ધારણ કર્યા અને પતિને મળવાની ઉત્સુકતાથી શયનગૃહમાં ગઈ ત્યાં જઈને જુએ છે તો શય્યા સૂની પડી હતી. આ પંકિતનો ધ્વનિ એ છે કે બાહ્ય ક્રિયારૂપી શણગાર સરસ કર્યો હોય છતાં શુદ્ધ ઉપયોગ ન હોય તો શણગાર નિરર્થક છે. ધર્મ માટે ગમે તેટલાં કાર્યો કરવામાં આવે, ધામધૂમ કરવામાં આવે પણ જો તેમાં આત્માનો શુદ્ધ ઉપયોગ ન હોય તો તે ક્રિયાથી લાભ થાય તો પણ આત્મલાભ થતો નથી. શુભ લાભ અલ્પ પ્રમાણમાં થાય છે. તૃણ કે છાણના અગ્નિ સમાન થાય છે. શુદ્ધ ઉપયોગ વિનાની ક્રિયા વર વિનાની જાન અને પ્રાણવિનાના શરીર જેવી છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે, ક્રિયા મૂઢમતિ જો અજ્ઞાની, ચાલતા ચાલ અપૂઠી જૈન દશા ઉનમેં હી નાહી, કહે સો સબ હી જુઠી..પરમ... પર પરનતિ અપની કરી માને,કિરિયા ગરબે ઘેહેલો, ઉનકું જેન કહો કયું કહીએ, સો મૂરખ મેં પહેલો....પરમ.. - જૈનધર્મ એ આડંબરનો ધર્મ નથી. અજ્ઞાની, મૂઢ ને ગમાર લોકો ધર્મના નામે ધામધૂમ કરે છે, ને મોટા મોટા આરંભો કરી ધર્મના બહાને ઉત્સવો કરે છે. તેવી ક્રિયાઓ કરી આત્મસંતોષ માને છે. કવિ કહે છે કે તેને જૈન કેમ કહી શકાય? આ સ્તવનમાં કવિએ ક્રિયાનો નિષેધ નથી કર્યો પણ શુદ્ધ ઉપયોગપૂર્વકની ક્રિયા જ વધુ ફળવતી ક્રિયા બની શકે છે. આ વાત વિશેષ સ્પષ્ટ કરતાં શ્રી ઉપાધ્યાય મહારાજ કહે છે, ક્રિયા વિના જ્ઞાન નહિ કબહું, ક્રિયા જ્ઞાન બીનું નહિ, ક્રિયા જ્ઞાન દોઉ મીલત રહત હૈ, જયૌ જલરસ જલમાંહી... પરમ જ્ઞાન અને ક્રિયા સાપેક્ષ છે. જ્ઞાન વિના ન ક્રિયા હોય અને ક્રિયા વિના જ્ઞાન ન હોય. જ્ઞાન અને ક્રિયા એ બંને એક સિકકાની બે બાજુઓ છે. જેવી રીતે પાણીમાં પાણી અને પાણીનો રસ એકરસ છે. જીવ છે લક્ષણયુક્ત એટલે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ લક્ષણયુક્ત જીવ છે. સમ્યગદર્શન વગર જ્ઞાન તે સમ્યજ્ઞાન નહીં, આમ સમ્યજ્ઞાન વડે આત્માના વીર્યને સ્કુરાયમાન કરી ઉપયોગને ચારિત્ર અને તપ રૂપી ક્રિયાવંત કરવું તે સમ્યક્રિયા. આમ છ–એ લક્ષણનું
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy