________________
અનુભવ ૨સ
૨૦૮
શબ્દો સુમતિની અંતરની દાઝના છે. ચેતનને ઠેકાણે લાવવાની પ્રબળ ઈચ્છા છે. આ ઈચ્છા પૂર્ણ ન થતાં નિરાશા વ્યાપી જાય છે, ત્યારે ગમે તે શબ્દો મોઢામાંથી સહજ સરી પડે છે. બુદ્ધિસાગરજી મહારાજે ચેતનાને બોલતી કરી છે. જે હોય તે આખરમાં ચેતનને વિભાવમાંથી કાઢી સ્વભાવમાં સ્થિર કરવાના જ બધા પ્રયત્નો છે. પછી સુમતિ હો, સમતા હો, કે ચેતના હો, એ બધા આત્મભાવો જ છે.
આ પદમાં કવિએ પરિણતિને એક વિયોગિની સ્ત્રી સાથે સરખાવી છે. જીવનમાં જો સુમિત આવે તો સારું કાર્ય થાય અને યોગોની શુભ પ્રવૃત્તિ થતાં શ્રદ્ધાનો સાથ મળે પરંતુ ચેતનને આ સંસારનો રંગ લાગ્યો હોવાને કા૨ણે સ્વભાવ-વિભાવનું ભાન નથી. તેમનામાં સ્વ-૫૨નો વિવેક નથી માટે સુમતિ, સમતા ગુરુ સ્થાને રહી આ કાર્ય કરી રહી છે. આ પદમાં સુમતિ પોતાની અંત૨ વેદના ઠાલવે છે. તેની વેદનાની ઉત્કૃષ્ટતા હૃદયને સ્પર્શી જાય છે.
10;