________________
અનુભવ રસ
૨૦૬
પણ ફીકું રહે છે. માયા, મમતા, તૃષ્ણા વગેરે કુલટાઓ સાથેના અતિભોગને કા૨ણે તેમના અંગો કેવાં શિથિલ થઈ ગયા છે. તેમની આંખોમાં નબળાઈ દેખાય છે અને શરીર પર રતાશ તો જાણે ચાલી ગઈ છે. મારા એ આત્મસ્વામી અસંખ્યાત પ્રદેશે અનંત કર્મવર્ગણારૂપ મલિનતાથી મલિન બને છે. જેમજેમ મલિનતામાં વધારો થતો જાય છે તેમ તેમ તેનો રંગ ફીકો પડતો જાય છે હવે તેઓ સ્વરૂપ શુદ્ધ દેખાતા નથી. તેમને હવે સ્વપરિણતિ તરફ જોવાનું મન પણ થતું નથી. આ કડીમાં અંગ શબ્દનો અર્થ પરિવાર પણ લઈ શકાય. જ્યારે બાપ દુરાચારી થઈ જાય છે ત્યારે બાળકો જાણે નિરાધાર થઈ ગયા હોય તેવો અનુભવ થાય છે. તે દયાપાત્ર બની જાય છે. તે રીતે આત્મા જ્યારે ૫૨પરિણતિમાં ભટકે છે અને માયામમતાની કુસંગે ચડી જાય છે ત્યારે તે અધમ કાર્યો કરે છે એટલે ક્ષમા, સરલતા, મૃદુતારૂપ તેનો પારિવાર ઝાંખો પડી જાય છે. તેને ચેતનનાં આ કાર્યો જરા પણ રુચતા નથી પણ ચેતન વળ્યો વળે તેમ ન હોવાથી ચિંતાને કારણે તેઓ ફીક્કા પડી જાય છે.
ન
વળી સુમતિ શ્રદ્ધાને કહે છે,
औरहानो कहा दिनें बहुत कर, जीवित है इह ढंग ..... મેરે સૌર વિષ અંતર તો, ને તો છુપો
ડ્રાંન...વેપોરસા
સુમતિ કહે છે કે હે સખી ! મારા એ નાથ માટે કેટલું કહેવું ? વારંવાર કહેવા અને ઠપકો આપવા છતાં હજુ સુધી તે ઠેકાણે આવ્યા નથી. અનુભવમિત્ર સાથે આટલું કહેરાવ્યું છતાં તેને કોઈ અસર થઈ હોય તેવું લાગતું નથી. તેની આ કુટેવ કોઈ આજકાલની નથી. માયામમતાનો સંગ તો ઘણો જૂનો છે અને તેથી જ તેની સાથે રહી, વારંવાર અવનવા વેશ ધારણ કરે છે. તેની પાછળ બીજાને કેટલું શોષાવું પડે છે. તેનો તો વિચાર સુદ્ધાં કરતા નથી. અરે ! ઘણી વખત તો નજીક ઊભા હોય ત્યારે તે સાંભળે તેમ તેને હું મ્હેણાં મારું છું, ક્યારેક ઉપાલંભ પણ આપું છું અને કહું છું કે એ સ્ત્રીઓ અને મારા વચ્ચે અંતર તો જુઓ. તેની શું કોઈ ખાનદાની છે? જેટલું કથીર અને ચાંદીમાં અંતર છે તેવું મારાને એના વચ્ચે અંતર છે. હું શુદ્ધ રૂપા જેવી છું મારું કાંઈક મૂલ્ય તો કરો. સુમતિ કહે છે કે જેમ રૂપું અને રૂપાના શ્વેત રંગ વચ્ચે જરા પણ અંતર નથી તેમ મારા