________________
૨૦૫
અનુભવ રસ
૫૪-૩૪
" देखो आली नट नागरको संग"
સાધકને મોક્ષની વિરહવેદનાનો સાદેશ અનુભવ કરાવવાની અમોઘશક્તિ ધરાવનાર શ્રી આનંદઘનજી મહારાજે, આ પદમાં ચેતનાની વિ૨દશાનું સચોટ નિરૂપણ કર્યું છે. કવિએ અહીં સુમતિને શ્રદ્ધા પાસે મોકલી છે. સમ દુઃખી સખીઓ પરસ્પર કેવી વાતો કરે છે તેનું કવિએ ‘ગોડી રાગમાં’ સુંદર વર્ણન કર્યું છે. સુમતિ શ્રદ્ધા પાસે બેસી પોતાના પતિ વિષે કહે છે. બે સાહેલીઓ એકઠી થાય ત્યારે આવી વાતો કરે એ તદ્દન સ્વાભાવિક છે. સુમતિ શ્રદ્ધાને કહે છે.
देखो आली नट नागरको सांग, और ही और रंग; શ્વેતત તાતેં, જીા લાગત અંગ...વેલો...।। રૂ।। સુમતિએ અનુભવમિત્રને પોતાના દુઃખની વાત કરી એટલે અનુભવ ચેતનને સમજાવવા જાય છે. ત્યાર પછી સુમતિ પોતાની સાહેલી શ્રદ્ધાને કહે છે કે જો તો ખરી સખી, મારા સ્વામી ! કેવા કેવા ખેલ કરે છે. મારા નટનાગર તો નાટકિયાના ખેલ કરવામાં એવા તો પ્રવીણ બની ગયા છે કે તે નિત નવા-નવા વેશ ધારણ કરે છે. ક્યારેક તે હુકમ ચલાવનાર રાજા બને છે તો ક્યારેક હુકમ ઝીલનાર કોટવાળ બને છે. કોઈવાર મોટા ધનપતિ તો વળી કોઈવાર શેઠના દાસ બને છે. ક્યારેક ક્રોધે ભરાઈને બધાંને ધ્રુજાવે છે તો ક્યારેક અભિમાનના ઉન્નત આસને ચડી બેસે છે, કોઈ વખત છળ-કપટ કરી માયાચાર કરી હોંશિયારીથી બીજાને છેતરે છે તો વળી લોભને વશ બની ચારે બાજુથી ધન-સંચય પણ કરે છે. ક્યારેક ભિખારી બની ભટકે છે તો વળી ક્યારેક વનસ્પતિ બની લટકે છે તો કોઈ વખત નારઠીના મહાદુઃખને કારમી વેદના અનુભવે છે તો વળી કોઈવાર દેવગતિનાં મહાસુખમાં અટકે છે. ક્યારેક તિર્યંચગતિમાં ભટકે છે તો વળી કોઈ વખત મનુષ્ય બનીને મલકે છે. આવા વિધવિધ ખેલ તે કરે છે. અત્યારની તેની અવસ્થા જોતા લાગે છે કે તેમનાં અંગો કેવા શ્રમિત થઈ ગયા છે. માનવ વધારે પડતો ભોગી કે વિષયાસકત રહે તો તેનું શરીર