________________
અનુભવ રસ
૨૦૪ તરફ પ્રગતિ થાય છે. જેમ વસ્તુ પ્રાપ્ત કરવા અતિ આતુરતા હોય છે અને પ્રાપ્ત થતાં આનંદાનુભૂતિ થાય છે તેવી સ્થિતિ મુમુક્ષુ આત્માની હોય છે. સુમતિની વેદના જાણે સાધકની વેદના બની જાય છે.
કવિના ચાતુર્યનું અને ભાવ દર્શાવવાની અદ્ભુત પ્રતિભાનું અહીં દર્શન થાય છે.