SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ રસ પદ-૩૨ ૧૯૬ “પીયા તુમ, નિવુર ભયે ક્યું સે” શ્રી આનંદઘનજીએ આ પદમાં સુમતિની અંત૨વેદના ઠાલવી છે. પતિભક્તિ સ્ત્રીનો પતિ જ્યારે તેની ઉપેક્ષા કરે છે ત્યારે તે કેવી વ્યાકુળતા અનુભવે છે તેનું નિરૂપણ આ પદમાં કર્યું છે. ચેતન, સુમતિનો સાથ છોડી પરથ૨ે રખડી રહ્યો છે ત્યારે સુમતિ તેને સ્વસ્થાને લાવવા ઘણાં પ્રયત્ન કરે છે અને પોતાની વ્યાકુળતા વ્યક્ત કરતાં ચેતનને ઉદ્દેશીને કહે છે, પીયા તુમ, નિપુર ભયે વયું...પેસે...નિવુર में तो मन वच क्रम करी राउरी; રાતરી રીત અનેંસે... પીયા તુમ...નિવુ...।। ।। સુમતિ ચેતનને કહે છે કે કે શુદ્ધ ચેતન ! તમે આટલા નિષ્ઠુર કેમ થઈ ગયા છો ? તમે તો મારી સામું પણ જોતા નથી. હે નાથ ! આપને હું મન, વચન કાયાના યોગથી ચાહું છું. મારા મનમાં સતત આપનું જ રટણ તથા સ્મરણ છે. મારા મન-મંદિરમાં કેવળ આપની મનોહરમૂર્તિ જ છે. હું અનન્યભાવે આપનું જ ધ્યાન કરું છું ને આપનો જ જાપ કરું છું. સ્વપ્ન પણ આપના જ જોઉં છું. મારા સુખ અને દુઃખનો આધાર આપ છો. મેં આપની જ આજ્ઞા ધારણ કરી છે. હે નાથ ! વચનથી ‘પરા, પશ્યતિ, મધ્યમા અને વૈખરી આ ચાર ભાષા પણ આપની જ કરી દીધી છે. જ્યાં જાઉં ત્યાં આપની જ ચર્ચા, વાર્તાને ગુણોનું કથન કરું છું. કાયાથી હું આપને જ વરેલી છું. આપને હિતકારી સર્વ રીતોને મેં ધા૨ણ કરી છે. આપના સગા તે મારા સગા છે તેવી રીતે તેની સાથે વહેવા૨ કરું છું. વળી આપની ઈચ્છાનુસાર અનુસરણ કરું છું છતાં હે નાથ ! આપ મારાથી રીસાયેલા કેમ છો ? આપ મારી સાથે કોઈપણ પ્રકારનો પ્રેમ ભર્યો વહેવાર કેમ કરતા નથી ? એકપક્ષી પ્રેમ ક્યાં સુધી ટકી શકે ? જેમકે “ એક પખી કેમ પ્રીતિ વરે પડે, ઉભય મિલ્યા હુવે સંધી” ૧ એક વ્યકિત પોતાનો સ્નેહ કેટલો સમય જાળવી રાખે ? હું આપને પ્રેમ કરું અને આપ બેદરકાર રહો
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy