________________
17
અનુભવ રસ
ધ્યેય પણ સ્વ–૫૨ હિત અને કલ્યાણસાધના જ છે, તે નિઃસંશય સમજી શકાય તેવું છે. તેમનો આ ગ્રન્થ ‘અનુભવ રસ' એ ભાવ અને ધ્યેયની ફલશ્રુતિ છે.
,
-
આ લખતાં–લખતાં, સંશોધન કરતાં – કરતાં, લખનાર પણ ભાવવિભોર થઈ કેટલીયે વાર અધ્યાત્મ રસમાં ડૂબકી લગાવી હશે. આ સંશોધનની જ્ઞાનસાધના પછી લેખિકાના જીવનમાં આધ્યાત્મિક દૃષ્ટિનો વિકાસ જોવા મળ્યો છે.
આનંદઘનજીનું ધ્યેય સ્વ કલ્યાણ છે કારણકે તેમની સાધના શિખર ૫૨ હતી. પરંતુ જશુબાઈનું ધ્યેય તો સ્વ અને પર બન્નેના કલ્યાણનું છે કારણકે તેની તો સાધનાની શરૂઆત છે, છતાંય તેની આ કૃતિ અમૂલ્ય છે. આ શોધ કાર્ય એમણે જે ઉંમરે કર્યું છે તે અને સાથે સામાજિક સર્વ કાર્યો, જેમ કે વ્યાખ્યાન – વ્યવહાર વગેરે જવાબદારી બજાવતાં – બજાવતાં આવો મહાનિબંધ લખ્યો છે. તે ધન્યવાદને પાત્ર ગણાય.
સાધ્વી જશુમતીનાં હૃદયમાં અધ્યાત્મના ભાવો અને ભક્તિની રસધારા વહેતી હશે; તો જ તેણે પોતાની થીસિસના વિષય માટે આનંદઘનજીને પસંદ કર્યાં આ સાધનાથી તેને નવી દૃષ્ટિ ખીલશે કારણકે આનંદઘનજી એ એક પદમાં કહ્યું છે, –
જીવ જગત
હૈ
કર્માધિના અચરજ કછુ નાહિ.
આમાંથી સાધકને સાક્ષીભાવ સમતા અને જ્ઞાતા-દેષ્ટાતાનું જ્ઞાન મળે તેમ છે.
જીવને હું કંઈક છું એવો અહમ ન આવે તે માટે તેઓએ કહ્યું છે,– જગત ગુરુ મેરા. મૈં જગતકા ચેરા ’
આ પંકિતઓ નમ્રતાની સાથે એ પણ શીખવે છે કે, જો કોઈને જ્ઞાન કે બોધ લઈ કંઈક શીખવું જ હોય તો આખું જગત એને માટે પાઠશાળા કે શિક્ષક છે. બધામાંથી કંઈ ને કંઈ બોધ મળી શકે તેમ છે. તે જ વાતને સાધ્વી જશુમતિએ યથાશક્તિ વિવેચન લખી પોતાના આત્માને અને સમાજને સમજાવવાની કોશિષ કરી છે તેમજ આચરણમાં મૂકવાની