________________
અનુભવ રસ
16 कककककककककककककककककककककककककककककककककक
આર્શિવચન
- અધ્યાત્મ યોગિની પૂ. લલિતાબાઈ
મહાસતીજી – પૂ. બાપજી
જાગેલો – પામેલો જંગલનો જોગી, જેને આત્મામાં ઘન બનેલા આનંદનો અનુભવ છે. એટલે તેઓશ્રી પોતે જ પોતાના આત્માને ગુણથી સંબોધન કરી કહે છે – “આનંદઘન'. આ નામ તેઓના જન્મનું કે શરીરનું નથી, આત્માનું છે, ગુણવાચક નામ છે.
અધ્યાત્મયોગી આનંઘનજી એક ઉચ્ચ કક્ષાના આરાધક તથા સાધક મહાપુરુષ હતાં. તેઓ ભક્તિરસથી ભરેલા અમૃતકુંભ હતાં. તેઓની રચના પદ રૂપે હોય કે ચોવીસીના સ્તવન રૂપે હોય; તે બધામાં તત્ત્વબોધ, ભક્તિ અને ભાવનો રસ ટકતો હોય છે. તેઓશ્રીનાં પદ અને સ્તવનો પર સ્થિરતાથી ને ઊંડાણપૂર્વક વિચાર કરીએ છીએ તો લાગે છે કે, આ રચનામાં ખાસ તો સ્વ-હિતનું જ લક્ષ્ય છે.
જેમ નદી સમુદ્રને મળવાના લક્ષ્યથી તે તરફ દોડી જ જાય છે. તેના પાણીનો ઉપયોગ પોતાની મલિનતા દૂર કરે છે અને તુષાને પણ શાંત કરે છે, છતાં નદી એ જોવા ઊભી નથી રહેતી કે કોઇ મારુ પાણી વાપરે છે કે નહીં. તેને આવી કોઈ અપેક્ષા હોતી નથી. તેને તો લગની છે સમુદ્રને મળવાની તેમ આનંદઘનજીને પણ લોકોની પ્રશંસાની કે અન્ય કોઈ અપેક્ષા હતી નહીં. તેમને તો માત્ર તડપ હતી આત્માનુભૂતિની.
જેમ આ આધ્યાત્મિક પદો રચનારનું લક્ષ્ય સ્વહિત જ હતું, તેમ એ પદોના યથાશક્તિ અર્થ-ભાવાર્થ લખનાર બા. બ્ર. જશુબાઈ સ્વામીનું