________________
અનુભવ રસ ककककककककककककककककककककककककककककक
તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ. સા. ના સુશિષ્ય શાસન પ્રભાવક પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. ના
અભિનંદન ભાવો.
“અનુભવ રસ” માં અધ્યાત્મ અનુભૂતિની રસધારાને અક્ષરધારામાં વહાવી છે.
ભક્તિયોગ તે યોગી અને અયોગીપણાની પ્રાપ્તિનું સરળ અને સત્તર પરિબળ છે. શ્રી આનંદઘનજીના અધ્યાત્મરસ ભરેલા સ્તવનોને આજના સાધક સમુદાયને સમજવા સરળ પડે એવાં સંશોધનથી સાહિત્યતા ને પામેલા ગ્રંથ “અનુભવ રસ” નો સાચો અનુભવ તો આલેખક ડો. જશુબાઈ મ. ને અવશ્ય થયો હશે.
બાપજી શ્રી લલિતાબાઈ મ. ના સુશિષ્યા ડો. શ્રી જશુ બાઈ મ. ના સંશોધન ગ્રંથનું પ્રકાશન શ્રી આનંદઘનજીના પદો ઉપર પ્રજ્ઞા પ્રકાશ પાથરનાર બની રહેશે.
શ્રી જશુબાઈ મ. ના પુરુષાર્થને
અમારા અંતર અભિનંદન. શ્રી નમ્રમુનિ મ. સા., આણંદ,