________________
અનુભવ રસ
14
વિવેચનપૂર્વકનાં અધ્યાત્મ પદોનાં
પ્રકાશન અવસરે શુભ સંદેશ
– આગમ દિવાકર પૂ. જનકમુનિજી મ. સા.
આ યુગે આ સંસારને અનેક સંતો શૂરાઓ અને અધ્યાત્મ પુરુષોની ભેટ આપી છે. આવા યુગદ્રષ્ટાઓમાં લગભગ ૨૦૦ વર્ષ પૂર્વે એક મહાન અદ્ભુત અને અવધૂત પુરુષની ભેટ આપી. તે મહાન આત્માનું મંગલમય ધન્ય નામ છે. આનંદઘનજી મહારાજ.
સોરઠ દેશ તે સમયના જૂનાગઢ શહેરથી નજીકમાં ઉના ગામ છે ત્યાં બનેલ ઘટનાએ તેઓ શ્રીમા અધ્યાત્મનાં અદ્ભુત તે જ પૂર્યા, જંગલનો એકાંત માર્ગ સ્વીકાર્યો, છતાં પણ પોતાના અમૂલ્ય સમયનો લાભ આ સંસારને પોતાની પદ રચનાઓથી આપતા ગયા, પોતાનાં આયુષ્યના અંતિમ સમયે જંગલનાં એક માણસની તે સર્વ રચના આપી ને કહેલ કે કોઈ સારા જૈનને પહોંચાડજે.
આ પદોનું અર્થગાંભીર્ય સામાન્ય માણસને માટે સુલભ નથી. આ એક મોટી કઠિનતાથી બચવા માટે ડો. શ્રી જશુબાઈ મહાસતીજીએ જે રહસ્યોદ્ઘાટન કરેલ છે તે સ્તુત્ય છે. મારા જ સહદીક્ષિત એવા શ્રી જશુબાઈ મ. ના કરકમલે તૈયાર થયેલ આ વિવેચન જોઈને હું ગૌરવ અનુભવું કે આર્શીવાદ આપું તે બન્ને મારે મન સમાન છે. શાસનને ચરણે ધરાતો આ ગ્રંથ સૌને શ્રેય માટે બનો તેવી પ્રાર્થના.
આદરણીય ગુરણીશ્રીનાં શુભચરણોમાં ગ્રંથનું પ્રકાશન થાય છે તે સમયે મારી હાર્દિક શુભેચ્છા છે.