SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ 13A અનુભવ રસ અહંકારનો ત્યાગ કરી નારીભાવને ન ભજે ત્યાં સુધી ભગવાન સાથે તાદાભ્ય ભાવ થતો નથી. જીવ-શિવનું મિલન થતું નથી અને ત્યાં સુધી કષાયોને ગળવાનો કે ગળી જવાનો કે પીગળી જવાનો યોગ બનતો નથી. આ છે પ્રેમ લક્ષણા ભક્તિનું ભાવ સ્વરૂપ!!! આનંદઘનજી મહારાજ એક એવા વિભૂતિ થયા કે જેણે પ્રેમલક્ષણા ભક્તિનો જૈન સાધનામાં ઉદય કર્યો. અર્થાત પ્રેમલક્ષણા ભક્તિનો સૂત્રપાત કર્યો અને ગાઈ ઉક્યા કે, બાષભ જીનેશ્વર પ્રીતમ મહારો, ઔર ન ચાહુ કંત રે... આટલુ કહ્યા પછી આપણે વીરપ્રભુ પાસે અંતરંગથી પ્રાર્થના કરીએ કે, “અનુભવ-રસ” સોળ આના પ્રકાશિત થઈ, જન જન ને સ્પર્શ કરે. વિશ્વવ્યાપી બની મહાત્મા આનંદઘનજીના ઉત્તમ સ્વરોને ગુંજાયમાન કરે અને તેના આલેખનાર શ્રી જસુબાઈ મહાસતીજી આ કાર્યમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરી સોળ આના યશના ભાગી બને. શાન્તિ... આનંદ મંગલમ્ .... વાણીભૂષણ પૂ. ગિરીશમુનિજી મહારાજ સાહેબનો - મંગલ સંદેશ ડો. જશુબાઈ મહાસતીજીએ આ શોધ પ્રબંધ લખીને તત્ત્વચિંતનને એક નવી ચેતના આપી છે. આપ, મહાસતીજીએ ઘણો પરિશ્રમ કરીને સમગ્ર જૈન સમાજને કળશ ચડાવ્યો છે આપણે ત્યાં આવા પ્રબુદ્ધ મહાસતીજી છે તેમની વિદ્વતા સાથે જે ભક્તિ છે તે અપૂર્વ છે. મંગલ સંદેશ આપતાં અમારું હૃદય ભાવવિભોર થઈ રહ્યું છે.
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy