________________
અનુભવ રસ
ચરમ અધ્યાત્મ” પ્રિમ લક્ષણા ભક્તિનું ભાવસ્વરૂપ
“પરમ પૂજ્ય ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક પંડીતરત્ન શ્રી જયંતમુનિજી મહારાજ
આપણે ત્યાં આનંદઘનજી મહારાજનો ઉદભવ એક પ્રકારે જેને જગતમાં અભિનવ પૂર્ણચંદ્રનો ઉદય હતો. આજે મહાસતીજીએ “અનુભવ-રસ' તૈયાર કર્યો છે તે એટલા માટે અભિનંદનીય છે કે આપણા સાધુ-સંતો કે વિદ્વાનો આનંદઘનજી સાહિત્યને યથેચ્છ સ્પર્શ કરી શકયા નથી. કોઈ કોઈ વિરલ સતી-સંત આ “ચરમ અધ્યાત્મનો કે વાસ્તવિક પ્રેમરસનો સ્પર્શ કરવા માટે તૈયાર થયા હોય છે, જેમાં આ એક શ્રી જસુબાઈ મહાસતીજી મોખરે આવ્યા છે.
આનંદઘનજી” એ અધ્યાત્મનું એક અદ્વિતીય પાસુ છે અધ્યાત્મના નામે જે કાંઈ અંધકાર કે વિપરીત પ્રકાશ છવાયો હોય તેનો પરિવાર કરીને, અને જૈન સાહિત્યમાં અધ્યાત્મબીજ અંકુરીત ન થયાં હોય તેને અત્યુત્તમ પ્રેમરસનું પાણી પાઈને, પલ્લવીત કર્યા છે તે છે મહાન વિભૂતિ આનંદઘન.
અહીં બહુ જ થોડા શબ્દોમાં અમે અમારી હૃદય ઉર્મિને અભિવ્યક્ત કરી છે. અહીં આનંદઘન સાગરમાં ગોતુ લગાવતા માઈલો સુધી તરવાનું થાય. છતા અંત ન આવે તેવા મહાન સાહિત્યમાં અમે પણ નાનકડી ડૂબકી લગાવીએ તો પણ એક ગ્રંથ તૈયાર થાય તેટલું ચિંતન અમારા હૃદયમાં તરવરાટ કરતું રહે છે.
અહીં આપણે પ્રેમલક્ષણા ભક્તિ વિશે બે શબ્દો કહી આ ભાવ સંદેશ” સમાપ્ત કરીશું. ભગવાનને અનંતજ્ઞાની અનંત શક્તિધર, અને સર્વશ્રેષ્ઠ આત્મપુરુષરૂપે જાણપણ કર્યા પછી પણ તેમના પ્રત્યે જ્ઞાનભાવ છોડીને, ભક્તિભાવનો ઉદય ન થાય અને ભક્તિભાવમાં પણ પ્રેમભાવનો ઉદય ન થાય અને ભગવાનને એક માત્ર પુરુષ માની, જીવ સર્વ