________________
અનુભવ રસ
પ્રગટ કરવાનું નક્કી કર્યું.
પૂ. બાપજી અને પૂ. ડો. તરુલતાજીના સૂચનથી આ ગ્રંથનું નામ ‘અનુભવ રસ’ રાખ્યું.
127
અવધૂત યોગી આનંદઘનજીની પ્રચંડ સાધના પછી સહજ સર્જાયેલા આ પદોમાં નિજી જીવનનો અનુભવ ૨સ ઘૂંટાયેલો છે.
આ અનુભવ અમૃતને આપણાં સુધી પહોંચાડવાનો સમ્યકૢ પુરુષાર્થ પૂજ્ય જશુબાઈ મહાસતીજીએ કર્યો છે.
♦
આ પ્રકાશનમાં મને મદદરૂપ થવા બદલ કમલેશભાઈ દોશી તથા ડો. રસિકભાઈ મહેતાનો આભારી છું. મારા ધર્મપત્ની ડો. મધુબહેન બરવાળિયાનો આ કાર્યમાં મને પૂર્ણ સહયોગ મળ્યો છે.
ટાઈપસેટિંગ માટે ઇન્ફોસોફટ સર્વિસીસના સંદીપભાઈ, નિલેશભાઈ તથા દેવાંગભાઈ વારીઆનો આભાર.
સુંદર અને સમયસર મુદ્રણ કરી આપવા બદલ અરિહંત પ્રેસના નિતિનભાઈ બદાણીનો આભાર.
પ્રકાશનની સંપૂર્ણ પ્રક્રિયામાં રસ લેવા બદલ અ. ભા. શ્વે. સ્થા. જૈન કોન્ફરન્સ પ્રમુખ શ્રી મગનલાલ હરિલાલ દોશી તથા કોન્ફરન્સના ટ્રસ્ટી શ્રી મનહરલાલ ચુનીલાલ શાહનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ ગ્રંથ દ્વારા અધ્યાત્મના અનુભવ રસનું આપણે સૌ આચમન કરીએ એ જ અભ્યર્થના. ગ્રંથમાં જિજ્ઞાસા વિરૂદ્ધ કાંઈ પ્રગટ થયું હોય તો ત્રિવિધ મિચ્છામી દુક્કડં...
મુંબઈ એપ્રિલ, ૨૦૦૪
ગુણવંત બરવાળિયા મંત્રી અખિલ ભારતીય શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ, મુંબઈ