________________
૧૮૯
અનુભવ રસ क्षणं चेतः समाकृष्य, समता यदि सेव्यते।
स्थात्तदा सुखमन्यस्य, यद्धकतुं नैव वार्यते ચિત્તને ક્ષણવાર માત્ર ખેંચીને સમભાવમાં સ્થિર કરવામાં આવે તો એ સમયે આત્મિક સુખ અનુભવાય છે. સમતાભાવીની દશાનું વર્ણન કરતા કહે છે કેઃ
नतिस्तुत्यादिकाशंसा, शरतीव्रः स्वमर्मभित्। समता वर्म गुप्तानां, नाति कृत्सोऽपि जायते।।
જેણે સમતાનું બખ્તર પહેર્યું છે તેને પર દ્રવ્યની ઈચ્છાના તીક્ષ્ણ બાણો પીડા કરી શકતા નથી. તેથી સાધકો પ્રથમ સમતા સાધી આત્માને સાધે છે.
આ પદમાં કવિ એ બતાવે છે કે ભૌતિક ધનસંપત્તિ સાધક માટે કેટલી નિરર્થક છે અને સમતાથી જીવ કયા સ્થાને પહોંચે છે. કવિએ જૈન અને હિન્દુનો વિનિયોગ આ પદમાં કર્યો છે.
ET SHEET REFEREER TET 1
ક