________________
૧૮૫
અનુભવ રસ મલિન બનાવે છે. મમતાથી કરોડો રૂપિયા એકઠાં કરવા છતાં અંતકાળે એક પાઈ પણ લઈ જવાતી નથી. બ્રહ્મદત્તના આત્માએ રાજઋદ્ધિ માટે તપ તથા સંયમનું ફળ માંગી લીધું પણ અંતે સાતમી નરકનો મહેમાન બની ગયો. જેમ પીપળાનું પાન પીળું થતાં ખરી પડે છે તેમ આયુષ્ય પૂર્ણ થતાં દેહ ઢળી પડે છે. જેમ કુંભારના વાસણને ફૂટતાં વાર નથી લાગતી તેમ શરીરરૂપી વાસણને ફૂટતાં વાર નથી લાગતી.
સહજાનંદીની સક્ઝાયમાં કહેવામાં આવ્યું છે, રાજી ગાજીને બોલતા, કરતા હુકમ હજાર રે; પોઢયા અનિમાં એકલા, કાયા રાખ સમાન રે; બ્રહ્મદત્ત નરક પ્રયાણ રે, એ ઋદ્ધિ અથિર નિદાન રે;
જેવું પીપળ પાન રે, મધરો જૂઠ ગુમાન રે; સહજાનંદી રે આત્મા, હસી હસી દેતા રે તાળીઓ, શમ્યા કુસુમની સાર રે; તે નર અંતે માટી થયા, લોક ચણે ઘરબાર રે; ઘડતાં પાત્ર કુંભાર રે, એહવું જાણી અસાર રે; છોડ્યો વિષય વિકાર રે, ધન્ય તેહનો અવતાર રે,
સહજાનંદી રે આત્મા... માનવ ધનસંપત્તિનો સંગ્રહ કરવામાં પોતાનો અમૂલ્ય સમય વ્યય કરી નાખે છે પણ આખર તેની ગતિ શું થાય છે તે આપણે આનંદઘનજીના | શબ્દોમાં જોઈએ.
धन धरतीमें गाडे बौरे, धुर आप मुख ल्यावे; મૂષક સાપ દોયો માર Gર, તાતેં નિછ દાવે... સાથો..૨
ધનની મમતા રાખનાર વ્યક્તિની દશા કેવી થાય છે તેનું માર્મિક દર્શન કવિએ આ કડીમાં કરાવ્યું છે. માનવ, ધનની સુરક્ષા માટે અનેક પ્રયત્નો કરે છે. ધન કોઈ લઈ ન જાય તેથી ધનને જમીનમાં દાટે છે. આ ક્રિયા કરવામાં તેનું મોટું તથા કપડાં ધૂળથી ખરડાય છે. આમ, ધનના મમત્વને કારણે માનવ આખર પોતાની દુર્ગતિ વહોરી લે છે અને છેવટે ધનના ઢગલા પર રાફડો કરી સાપ થઈ ફેણ માંડીને બેસે છે તેમજ ઉંદર બની દાટેલ ધન ઉપર દર કરીને રહે છે. ધનની મમતા આવી અધમ ગતિ