________________
૧૮૬
અનુભવ રસ કરાવનાર છે અને જો તે એકેન્દ્રિયજાતિમાં જાય તો દાટેલા ધન ઉપર વૃક્ષ બને છે. આવી દશા કરાવનાર આ લક્ષ્મીને લક્ષ્મી કેમ કહેવાય? આ તો અલક્ષ્મી જ કહેવાય. “ન ની: વિદ્યતે યસ્ય સ: મનસ્મિ:' સાચી લક્ષ્મી તો છે આત્મગુણરત્નો. જેને કોઈ લઈ જઈ શકતું નથી. તેના મોહથી દુર્ગતિ થતી નથી. બાહ્ય લક્ષ્મીથી જીવન બરબાદ કરનાર, ધવલશેઠ અને નરકના મહેમાન બનનાર મમ્મણ શેઠ, શાસ્ત્રસંમત છે. સમતામાં રહેવું તે આત્મધન પામવા બરાબર છે. જે લક્ષ્મી વર્તમાન તથા ભવિષ્ય બગાડે તેને કયા અર્થમાં સારી કહી શકાય? પણ આત્મલક્ષ્મી કેવી છે તે કવિ આ પદની ત્રીજી કડીમાં કહે છે,
समता रतनाकरकी जाइ अनुभव चंद सुभाइ! વનસ્કૂદતની ભાવન્મે છે, આપ અમૃત ને ગાડું... IIધો ભા..રૂા.
આ કડીમાં કવિએ મત્સ્યપુરાણની કથાનો આશ્રય લઈ સુંદર રૂપક પ્રયોજ્યું છે. પૌરાણિકકથા પ્રમાણે દેવોએ જયારે સમુદ્રમંથન કર્યું ત્યારે તેઓએ સુમેરુની રવાઈ કરી, વાસૂકી સર્પનું દોરડું બનાવીને સમુદ્રમંથન કર્યું હતું ત્યારે સમુદ્રમાંથી નીચે મુજબનાં ચૌદરત્નો નીકળ્યાં હતાં.
(૧) લક્ષ્મી (૨) કૌસ્તુભ રત્ન (૩) પારિજાતક પુષ્પ (૪) સુરા (મદિરા) (૫) ધન્વન્તરી વૈદ્ય (૬) ચંદ્ર (૭) કામદુગ્ધાગાય (૮) ઐરાવત હાથી (૯) રંભા વગેરે દેવાંગના (૧૦) સાત મુખવાળો અથ (૧૧) વિષ (૧૨) ઈંદ્ર (૧૩) ધનુષ્ય (૧૪) અમૃત
આ ચૌદ રત્નોમાં સર્વપ્રથમ લક્ષ્મીજી નીકળ્યા.
કવિએ અહીં સમતારૂપ લક્ષ્મીની વાત કરી છે. વળી સમતાને રત્નાકરની દીકરી કહી છે. અનંતજ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણરત્નો, ચિદાનંદ ધન ચેતનમાંથી પ્રગટ થાય છે. તેથી ચેતન રત્નાકર છે. સમતા તેની દીકરી છે. સમતારૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરનાર તે આધ્યાત્મિકક્ષેત્રે સાચા લક્ષ્મીપતિ કહેવાય છે. શ્રી મોતીચંદ કાપડિયા લખે છે સઅસઃ વિવેક કરી વસ્તુ સ્વરૂપને તેના યથાર્થ આકારમાં બતાવનાર આ અનુભવજ્ઞાનરૂપ ચંદ્રમા પણ રત્નાકરમાંથી નીકળે છે તેથી રત્નાકરની પુત્રી સમતા અને પુત્ર અનુભવ એ બંને ભાઈ-બહેન થાય છે.