SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ અનુભવ રસ પદ-૩૦ ધો ભાડું સલા રંગ રમીનો” અધ્યાત્મરસના અનુભવીયોગી એ “આશાવરી રાગ'માં લખાયેલા આ પદમાં મમતાની માયાજાળમાં ફસાવાથી આત્માને શું નુકશાન થાય છે, તેમજ સમતારસના પાનથી કેવો આનંદ પ્રાપ્ત થાય છે તે ભાવ સરસ રીતે સમજાવ્યા છે. साधो भाई! समता रंग रमीजे; વધૂ મમતા સંત વડીને... સાથો સારું. संपत्ति नाहि नाहि ममतामें, ममतामां मिस मेटे રહદપાદતની નીરવ રવેદી, સંત વાર નૈ રે.. સાથો..ભા. આ પદની શરૂઆત દેખીતી રીતે જ કવિએ “સાધો' શબ્દથી કરી છે. “સાધો' એટલે સાધુ, સાધના કરનાર સાધક. જે સમતામાં રહે તે સાધુ અને જે સમતાને છોડી મમતામાં રાચે તે સંસારી. કવિ સાધુને કહે છે કે “હે સાધક! તમે સમતાના રંગમાં રમજો. હે સાધુ! તારી સામે કોઈ શત્રુ હો યા મિત્ર પણ દરેક માટે તારા મનમાં સમભાવ જાળવી રાખજે. કદાચ! મૃત્યુને ભેટવું પડે તો પણ સમતા સ્વરૂપ શુદ્ધ સ્વભાવમાં જ વર્તજે. ઘણાં સાધકો સ્વયં ભૂલમાં જ હોય છે. તેઓ એમ માનતા હોય છે કે અમે તો સમતાસાગરમાં જ ડૂબેલા છીએ. પણ ખરેખર આ એની ભ્રમણા હોય છે. ખરેખર તો મમતાના પાસામાં ફસાયા હોવા છતાં સમતાનો સ્વાંગ સજે છે. મમતા ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરીને આવે છે. દેશની, રાજ્યની, ગામની, જાતિની, કુટુંબની, માતાપિતાની, પુત્ર-પુત્રીની, શિષ્ય પરિવારની, શરીરની, જીવન જીવવા માટેનાં સાધનોની વગેરે અનેક પ્રકારની મમતા છે. * સાધકને કેટલીકવાર પોતાનાં ઉપકરણોની પણ મમતા હોય છે. જડ પદાર્થની મમતા રાખી મૂર્ધમાનવ અનેક પ્રકારનાં દુઃખો ભોગવે છે.
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy