________________
૧૭૭
અનુભવ રસ લે, એવું ત્યાં કાંઈ નથી કારણ કે હું તે સર્વ સંબંધોથી જુદો છું. આત્મધર્મમાં કે અધ્યાત્મમાર્ગમાં કોઈ જાત, ભાત, દેશ કે વેશને સ્થાન નથી. અધ્યાત્મમાર્ગ એ તો રાજમાર્ગ છે, જે એ માર્ગે ચાલે છે તે સ્વાભદશાને પામે છે.
હું એકેન્દ્રિયાદિ જાતિરૂપ તો નથી, તો નારકી, તિર્યંચ, મનુષ્ય કે દેવાદિ ગતિસ્વરૂપ પણ નથી અને હું સાધન કે સાધકરૂપ પણ નથી. કોઈ કાર્ય કરવા સાધનની જરૂર પડે છે. તે રૂપ પણ નથી. કારણ કે કોઈ કાર્યનો કર્તા હું નથી. વળી સ્વયંસિદ્ધ હું છું તેથી કોઈ સિદ્ધિ મેળવવા મારે સાધકરૂપ બનવું પડતું નથી. પણ હા, સાધનાકાળમાં સાધ્ય સ્વરૂપે હાજર રહું છું. વળી હું આકતુલિયા રૂ જેવો હળવો કે વજ જેવો ભારે પણ નથી, તો વળી હું પહાડ જેવો સ્થૂલ કે રજ જેવો સૂક્ષ્મ પણ નથી. શ્રી અખા ભગતે કહ્યું છે,
સ્થૂલતા દર્શન શરીરે, સહેજે થયો સમાસ, દેહ અધ્યાસે દોષ સઘળા, દેહ તે જ સંસાર
દેહ તેને સર્વ સાચું, પાપ પુણ્ય અવતાર. ૩ સૂક્ષ્મ કે સ્થૂલ એ દેહના અધ્યાસથી અનુભવાય છે. -
કવિશ્રીએ આ પદમાં આત્મસ્વરૂપની વાત નયને દૃષ્ટિમાં રાખીને કરી છે. વેદાંતદર્શનમાં જેમ પરમાત્મ માટે નેતિ-નેતિ કહેવાયું છે એ શૈલીએ અહીં આત્માનું સ્વરૂપ બતાવ્યું છે. વસ્તુ પદાર્થ આકાર કે વર્ણાદિ બતાવી તે પૂછવામાં આવે કે આત્મા આવો છે? જવાબ છે ના'. આત્મા એવો નથી.
ચેતન કહે છે કે વ્યવહારથી મારું ગમે તે નામ આપો પણ એ સર્વ મારાં વિશેષણો છે પણ વસ્તુતઃ એ વિશેષણો પણ અયોગ્ય છે. કારણ કે એ બધા તો મારા ક્રમભાવી પર્યાયો છે તે મારા સહભાવી ગુણ ન હોવાને કારણે હંમેશાં મારી સાથે રહેતા નથી તેથી લોકોના આપેલાં સર્વનામો અયોગ્ય છે.
આ ભાવને સ્પષ્ટ કરતાં શ્રી આનંદઘનજી બીજી કડીમાં કહે છે, ना हम तातें ना हम शिरे, ना हम दीरध न छोटा।। ના હમ માર્ફિના હમ માની, ના હમલાપ ન વેદ... સવધ તા ૨ા.