________________
અનુભવ રસ
૧૬૨ આત્માનું પ્રતિબિંબ પડે છે. તે માટે લક્ષ્ય આત્મભાવમાં રત રહેવાનું રાખવું. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ સાહેબ લખે છે કે જે આત્મતત્ત્વનાં જિજ્ઞાસુ-સૂક્ષ્મદૃષ્ટિ ધારક ભવ્યાત્મા હૃદયકમળમાં સચિત આનંદમય આત્મ ભ્રમરને શોધે છે તે પરિપૂર્ણ આનંદને પામે છે.
અંતરાત્મભાવના શોધન માટે શ્રી મોતીચંદ કાપડિયા લખે છે, ચિતપંકજને શોધવામાં યોગને અંગે હૃદયમંડળ, નાભિમંડળ ઉપર કમળની પાંખડીની કલ્પના કરી તેમાં નવ-સોળ વગેરે અક્ષરો સાથે પદમંડળની સ્થાપના કરી પદસ્થધ્યાન કરવામાં આવે છે. ૨
પદDધ્યાનનો અર્થ જ થાય છે કે શબ્દરૂપી પદો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. શબ્દની ઉત્પત્તિ સ્વર અને વ્યંજનથી થતી હોય છે એટલા માટે આ ધ્યાનને વર્ષમાવા નું ધ્યાન પણ કહેવાય છે. શ્રી શુભચંદ્રાચાર્યજીએ પોતાના જ્ઞાનાવ ગ્રંથમાં વર્ણવ્યું છેઃ
ध्यायेद् अनादि सिद्धांतप्रसिद्धां वर्णमातृकाम्।
निःशेष शब्दविन्यास-जन्मभूमि जगन्नताम् ।। શરીરમાં ત્રણ કમળોની કલ્પના કરોઃ
(૧) નાભિકમળઃ- નાભિમાં સોળ પાંદડીઓવાળા કમળની સ્થાપના કરી, દરેક પાંદડી ઉપર , વગેરે ૧૬ સ્વરોની સ્થાપના કરવી અને તેનું ધ્યાન કરવું.
(૨) હૃદયકમળ – હૃદયમાં ચોવીસ પાંદડીઓવાળું કમળ કલ્પવાનું છે. કર્ણિકામાં 5 અને ૨૪ પાંદડીઓમાં બાકીના ૨૪ વ્યંજન (ખ, ગ, ત.) વગેરે મુકવાના અને પછી વ્યંજનોનું ધ્યાન કરવું.
(૩) મુખ કમળઃ- મુખમાં અષ્ટદળ કમળની સ્થાપના કરી આઠ પાંદડામાં ક્રમશઃ ૧, ૨, 7, વ, શ, ષ, સ, હું આ આઠ વર્ણોની સ્થાપના કરી. એ પાંદડાંઓ જાણે ફરી રહ્યા હોય એ રીતે ધ્યાન કરવું.
આ રીતે પદસ્થ ધ્યાન કરવાવાળો યોગી સંપૂર્ણશ્રુતનો જ્ઞાતા એટલે કે શ્રુતજ્ઞાની બને છે.
પદસ્થધ્યાનમાં મંત્રાધિરાજ અહંનું ધ્યાન
અર્લ્ડ રેફથી યુક્ત, કલા અને બિન્દુથી સંયુક્ત, અનાહત સહિત મંત્રરાજ છે. સુવર્ણ કમળની વચ્ચોવચ રહેલી કર્ણિકા ઉપર રહેલા નિષ્કલંક,