________________
૧૬૧
અનુભવ રસ પરમાત્માનું ચિંતન કરનારા ઘણા ઓછા માણસો હોય છે પણ ધર્મને નામે ઢોંગ ચલાવનારા ઘણા હોય છે. માથું મુંડાવી મનનું મુંડન કરનારા ઘણા ઓછા હોય છે. પરંતુ પરમાત્મભાવની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવામાં પાંગળાજીવો સાવ નકામા છે. આવા જીવો રેતીમાંથી તેલ કાઢવા પુરુષાર્થ કરે છે, જેનું પરિણામ શૂન્ય હોય છે. કવિ છેલ્લી કડીમાં કહે છે,
खग पद गगन मीन पद जलमें, जो खोजे सो बौरा; વિર વન વોને તો વિવેં, રમતા શાનંદ મારા.. | અવધૂ.... | કા
જે માણસ પક્ષીનાં પગલાં આકાશમાં અને માછલીનાં પગલાં પાણીમાં શોધે છે તેઓ ખરેખર મૂર્ખ માણસ છે. જમીન પર ચાલતાં માનવ પ્રાણી કે તિર્યંચ પ્રાણીનાં પગલાં શોધી શકાય છે કારણ કે જમીન પર તેની નિશાની થોડો સમય પણ યથાવત્ જેમ છે તેમ રહે છે પરંતુ આકાશ તથા પાણીમાં તેમ બનતું નથી, માટે આવા અજ્ઞાની પ્રાણીઓની મહેનત નિષ્ફળ જાય છે. તેવી રીતે બહિરાત્મભાવમાં રમનારા પરમાત્માભાવનું શોધન કરે છે તેથી તેનો પ્રયાસ તદ્ન નકામો નીવડે છે. કોઈ મોઢેથી રામ-રામ રટણ કરે છે, કોઈ અઠ્ઠમ-અહમનું ઉચ્ચારણ કરી જાપની ધૂન લગાવે છે પણ અહંમનું વાસ્તવિક સ્વરૂપ જાણતા નથી. જો તે પોતાના અંતર મનમાં શોધે તો પરમતત્ત્વની પ્રાપ્તિ થાય છે. પરંતુ ધર્મના નામે ધતિંગ કરનારા તેમજ બહિરાત્મભાવમાં રાચનારા માટે કવિ કહે છે,
ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધરમ ન જાણે મર્મ
આવી રીતે મોક્ષનો અભિલાષી ધર્મ-ધર્મનું રટન કરતો મંદિરે મસ્જિદે તથા તીર્થધામોમાં ફર્યા કરે છે પણ ધર્મનો મર્મ સમજતો નથી. તેથી તેનું જ્ઞાન કે ઉપદેશ એકડાં વિનાનાં મીંડા જેવું બને છે.
પરમાત્મા, મંદિર, મસ્જિદ કે કોઈ બહારનાં સ્થાનમાં નથી પણ તેને અંતરમાં શોધતા સહજ પ્રાપ્તિ થાય છે. અજ્ઞાની જીવની દશા કસ્તુરી મૃગ જેવી છે. બહારમાં ઈશ્વરની શોધ આકાશ-કુસુમવત્ છે. માટે જે પોતાના હૃદયકમળમાં ઈશ્વરની શોધ કરે છે તે આત્મ રમણ કરતાંકરતાં આનંદસ્વરૂપ સ્વાત્મ ભ્રમરને ઓળખી શકે છે. તે માટે મનને વૈરાગ્ય તથા જ્ઞાનજળથી વિશુદ્ધ બનાવવામાં આવે તો તેના પર વિશુદ્ધ