SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ અનુભવ રસ નિર્મળ અને આભાવાળા ચંદ્રકરણ જેવા આકાશગામી અને સંપૂર્ણ દિશાઓમાં વ્યાસ ‘અર્હ' મંત્રનું સ્મરણ કરવું. ત્યારબાદ મુખકમળમાં પ્રવિષ્ટ થતા પ્રવલયોમાં ભ્રમણશીલ, નેત્રપલકો ઉપર સ્ફુરાયમાન થનાર.. ભાલમંડલમાં સ્થિર થનાર... તાલુરન્ત્રથી બહાર નીકળનાર... અમૃતની વર્ષા ક૨ના૨.... ઉજળા ચંદ્રમા જેવા, જ્યોતિર્મંડલમાં પરિભ્રમણ કરનાર... આકાશમાં સંમ૨ણ ક૨ના૨ અને મોક્ષ સાથે મેલાપ યોજનાર આ મંત્રરાજનું કુંભકપૂર્વક ચિંતન- ધ્યાન કરવું. ‘અર્જુ'ના પદસ્થ ધ્યાનથી અંતરંગમાં અક્ષય અને ઇન્દ્રિય અગોચર આત્મજ્યોતિ પ્રગટે છે. આનાથી સાધકને આત્મજ્ઞાનની ઉપલબ્ધિ થાય છે. પદસ્થધ્યાનમાં પ્રણવનું ધ્યાનઃ પ્રણવના ધ્યાનમાં ૐૐ નું ધ્યાન કરવામાં આવે છે. યોગશાસ્ત્રમાં આ ધ્યાનપદ્ધતિ આ પ્રમાણે છે. આ ધ્યાનનો ધ્યાતા યોગી, સહુ પ્રથમ પોતાના હૃદયકમળમાં રહેલી કર્ણિકામાં ૐની સ્થાપના કરે છે. પ્રશ્વાત્ શબ્દબ્રહ્મના કારણભૂત સ્વર અને વ્યંજનયુક્ત, પંચપરમેષ્ઠિના વાચક, મૂર્છામાં સ્થિત ચંદ્રકળાથી ઝરનારા, અમૃતરસથી રસતરબોળ મહામંત્ર ૐનું ધ્યાન, શ્વાસને ભીતરમાં કુંભકની પ્રક્રિયા દ્વા૨ા સ્થિર કરીને કરવામાં આવે છે. આ ધ્યાનમાં અનેક પ્રકારની શક્તિઓ અને આત્મબળ સંગ્રહિત થાય છે, સાથેસાથે કર્મોનો ક્ષય પણ થાય છે. પદસ્થ ધ્યાનમાં પંચ૫૨મેષ્ઠિનું ધ્યાનઃ હૃદયમાં આઠ પાંખડીવાળા કમળની સ્થાપના કરવી. એ કમળની કર્ણિકાના મધ્યમાં ‘નમો અરિહંતાણં' પદનું ધ્યાન કરવાનું છે ત્યારબાદ ચારે દિશાઓમાં ચાર પાંદડાંઓ ઉપર ક્રમશઃ ‘નમો સિદ્ધાણં’, ‘નમો આયરિયાણં’, ‘નમો ઉવજ્ઝાયાણં' અને 'નમો લોએ સવ્વસાહૂણં'નું ધ્યાન કરવામાં આવે છે. ચાર વિદિશાઓમાં અનુક્રમે ‘એસો પંચ નમુક્કારો’, ‘સવ્વ પાવપણાસણો’, ‘મંગલાણં ચ સવ્વસિ’, ‘પઢમં હવઈ મંગલ'નું ધ્યાન કરવાનું છે. જ્યારે નવપદનું ધ્યાન કરવાનું હોય ત્યારે ચાર વિદિશામાં
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy