________________
અનુભવ રસ
૧૫૮ આત્મા! જગતના જીવો “રામ” “રામ” એવો જાપ કરે છે પણ તેના અલક્ષ્ય સ્વરૂપને ભૂલી ગયા છે. જગતમાં સહુ પોતપોતાના ઇષ્ટ દેવને રટતા હોય છે. પણ વાસ્તવિક સ્વરૂપ ભાગ્યે જ કોઈ જાણતું હશે. પોતાના આત્મરામને જગાડવા દરેક સાધકે અલખ સાધના કરવી પડે છે. પણ પ્રભુ! મને તો ઈશ્વર પ્રાપ્તિ અર્થે વિધ-વિધરૂપો જગતમાં જણાય છે. સહુ કોઈ પોતાની માન્યતાનુસાર ઈશ્વરના રૂપને સમજે છે તથા મત સ્થાપના કરી પોતાના મતના આગ્રહી બની જાય છે. શ્રીમદ્ રાજચંદ્રજી પણ કહે છે.
અથવા મત દર્શન ઘણા તેમાં મત સાચો ક્યો બને ન એહ વિવેક.
કોઈ રામને, કોઈ રહેમાનને, કોઈ ઈસુને, તો કોઈ જિનને જપતા હોય છે. પણ તેનું સત્ય સ્વરૂપ બહુ ઓછા લોકો જાણે છે. બોમ્બ, સાંખ્ય, મીમાંસક વગેરે ભિન્નભિન્ન મતવાળા પોતાના મતમાં મસ્ત રહે છે. કબીરપંથી, દાદુપંથી, નાનકપંથી અને બીજા અનેક પંથવાળા પોતાના મતના આગ્રહી બની બેઠા છે. બધા મઠાધીશો પોતાના અનુયાયીઓની સંખ્યા વૃદ્ધિમાં રચ્યા-પચ્યા રહે છે. તેઓ ઘણા ખરા સ્વમતના અતિ આગ્રહી હોવાથી ધર્મનું વાસ્તવિક સ્વરૂપ વિસ્મૃત થઈ ગયું છે. તેઓ સ્વપ્નમાં પણ વિચારી શકતા નથી કે પોતાના સિવાય બીજે પણ ક્યાંય ધર્મ હોઈ શકે. કેટલાક જૈનો પણ “જિન” નામના નારા લગાવે છે પણ તેનું સ્વરૂપ સમજ્યા વિના તેઓ ભુલાવામાં પડી ગયા છે. કહ્યું છે કે
ભોળા વર્કિqધય: લોકો બાહ્યદૃષ્ટિને કારણે અલક્ષ્યનું સ્વરૂપ સમજી શકતા નથી. કબીર કહે છે કે લક્ષ્યના ઉપયોગ વિના કેવળ રામ-રામનું સ્મરણ કરે તે સર્વ અંધ સંસારીઓ સમજવા”. મઠવાસી એટલે આવેલા અભ્યાગતોની મઠમાં પરિચર્યા કરનાર એવા મઠવાસી મઠમાં માતા એટલે કે મગ્ન થઈ ગયા છે. તેમાં જ રત થઈ ગયા છે. તો વળી કોઈ સંન્યાસ ગ્રહણ કરી જટાધારી બનવામાં ધર્મ માને છે. જટાને જ સર્વ સિદ્વિનું કારણ માની જટા વધારે છે. તો વળી કોઈ છતા એટલે પૃથ્વીપતિ બની, ક્ષત્રિયત્વની ખુમારીથી શત્રુઓનો સંહાર કરી, ગરીબોનું રક્ષણ કરવામાં સિદ્ધિ માને છે. પરંતુ અલક્ષ્યનું વાસ્તવિક સ્વરૂપ તો કોઈ