________________
૧૫૭
અનુભવ રસ
પદ-૨૭ S
“અવધૂ ન જન ના આવે" શ્રી આનંદઘનજી મહારાજ જે કાળમાં પૃથ્વીપટ પર વિચરતાં હતા તે સમય કેવો દુષમ અને સંઘર્ષ ભર્યો હતો તેનું દર્શન આ પદમાં થાય છે. દરેક સર્જકના સાહિત્યમાં, તત્કાલીન સમાજ તથા સ્થિતિનો પ્રભાવ થોડે ઘણે અંશે પડ્યા વિના રહે નહીં.
કવિ આનંદઘનજી “આશાવરી રાગમાં લખાયેલ આ સત્તાવીસમા પદમાં કહે છે,
અવધૂ રામ રામ બનાવે, વિરના તાવે...જામવધૂા मतवाला तो मतमें माता, मढवाला मठराता; जटा जटाधर पटा पटाधर,छता छताधर ताताः ।।अवधू.... ॥१॥
સંસારની ઉપાધિઓથી સંતપ્ત માનવ, શાંતિ માટે પ્રભુનું શરણ શોધે છે અને રામનામનું રટણ કર્યા કરે છે, પણ અજ્ઞમાનવ જાણતો નથી કે રામ ક્યાં છે? કોણ છે? તથા તેનું સ્વરૂપ કેવું છે? તથા અસલ
સ્વરૂપમાં રામને પામવા શું કરવું જોઈએ તે તે જાણતો નથી. ફકત રામરામ ગાવાથી કે તેમના નામના નારા લગાવવાથી રામ મળતા નથી. પરંતુ રામધૂનમાં તન્મય થતાં રામ નજીક આવે છે. એક કવિએ કહ્યું છે,
એક રામ દશરથ ઘર ડોલે, એક રામ ઘટો ઘટ બોલે.
એક રામ જગત પસારા, એક રામ જગસે ન્યારા. વિશ્વમાં એક રામ નથી. એક દશરથ પુત્ર રામ છે. બીજા રામ દરેક જીવોના ઘટમાં વસ્યા છે. ત્યારે કોઈ કહે છે કે રામ તો વિશ્વવ્યાપી છે. સંતે છેલ્લી પંક્તિમાં મર્મ ખોલી વાત કરી છે કે ઉપર બતાવેલ રામની વચ્ચે પણ એક રામ વસે છે, જે સહુથી ન્યારા તથા નિરાલા છે. તે છે આતમરામ. “રામ' શબ્દની વ્યાખ્યા એ છે કે “રમતે રૂતિ રામ:' નિજ સ્વભાવમાં રમણ કરે તે રામ, પણ જગતનાં લોકો સ્વભાવ-વિભાવને જાણતા જ નથી અને ભાવ વગર માત્ર મોઢેથી તોતા રટણ કર્યા કરે છે. જેથી રામનું વાસ્તવિક સ્વરૂપ પ્રાપ્ત થઈ શકતું નથી. હે આનંદઘન