________________
અનુભવ રસ
૧૫૪
નથી. મને કથાવાર્તાનું જ્ઞાન નથી. શું ઠંડુ અને શું ગ૨મ ? કયા કા૨ણથી ઠંડુ–ગરમ થાય છે તે પણ હું સમજી શકતો નથી. બોલો પ્રભુ! હવે હું આપની પાસે શું માગું ?
હે નાથ ! કહેવાય છે કે પરમાત્મપદ લેવા માટે પરમાત્મસ્વરૂપનું રટણ કરવું જોઈએ તેમજ તેના નામનો જાપ કે અજપાજાપ જાણતો નથી. માળા વિના શાબ્દિક કે માનસિક જાપ કરવાની કળા મારામાં નથી. નવાકા૨વાળી હાથમાં કેમ પકડવી તથા કઈ આંગળીથી મણકા ફેરવવાના તથા માળા નીચે રાખવી કે હૃદય સામે તેની વિધિ પણ હું જાણતો નથી.
વળી આપના વિષે કે આત્મા વિષે મને કોઈ પૂછે તો આપ કેવા છો ? આપનું સ્વરૂપ કેવું છે ? આપનો આનંદ તેમજ અનુભૂતિ કેવી છે તે પણ જાણતો નથી કે જેથી પૂછનારને સંતોષ થાય તેવો જવાબ આપી શકું.
શ્રી મોતીચંદભાઈ કાપડિયા લખે છે “પ્રભુ ભક્તિ કરતાં કરતાં ભક્ત, ભગવાન બની જાય છે વળી પ્રભુ ! આપની ભક્તિ કેવી રીતે કરી શકાય છે તે પણ હું જાણતો નથી. ‘ચિત્ત પ્રસન્ન રે, પૂજન ફળ કહ્યું રે’ એનું રહસ્ય હું જાણતો નથી અને આપની ભક્તિમાં એવી ચિત્તની પ્રસન્નતા થઈ હોય, એવો અપૂર્વ વીર્યોલ્લાસ થયો હોય કે એવી અપૂર્વ આત્મજ્યોતિનું દિવ્યદર્શન થઈ ગયું હોય એમ મારા ધ્યાનમાં નથી અને એનું કા૨ણ તે ભક્તિ માટે કેવા પ્રકારનો ભાવ જોઈએ, કેવી ઊંચી રુચિ જોઈએ, કેવી દૃઢ સદ્ગુણા જોઈએ તેનું મને વાસ્તવિક ભાન નથી. ભાવ વિના ક્રિયા કેવી છે. તે વિષે કવિ લખે છે,
ભાવ વિના દાનાદિકા, જાણો અલૂણો ધાન, ભાવ ૨સાંગ માયા થકી, ત્રુટે કર્મ નિદાન.૧
ભાવ વિના અનેક ક્રિયાઓ કરી પણ યજ્ઞાત્ ક્રિયા પ્રતિજ્ઞ નન્તિ ન ભાવશૂન્યા। ભાવ વિના ચિત્તની ચંચળતા કરી હશે, જેથી આપનો સાક્ષાત્કાર કદી થયો નહીં. આજ સુધી હું તો ઓધે ભક્તિ કરતો હતો. મને સ્પષ્ટબોધ નહતો કે હું આપની ભક્તિ આપના ગુણકીર્તન કરી શકું. ભક્તિનું સ્વરૂપ સમજ્યા વિના તથા ભાવ૨સાંગ મેળવ્યા વિના ભક્તિ