________________
૧૫૩
અનુભવ રસ * મુસલમાનનું કુરાન કે વીતરાગપ્રણિત જૈન આગમ જેમાં મહાસાગર સમું જ્ઞાનજળ ભર્યું છે પણ હું આ વિશાળ આગમોને ન્યાય આપી શકું અથવા સ્વપક્ષ દ્વારા પરપક્ષનું ખંડન-મંડન કરી શકું તેટલું જ્ઞાન પણ મારામાં નથી. કુરાન, બાઈબલ, અવસ્તા વગેરે વાંચી, વિચારી તેના દૃષ્ટિબિન્દુઓ સમજવા તે આત્મજ્ઞાનીનું લક્ષ્ય હોય છે પણ હું તો તે પણ જાણતો નથી. મને છંદશાસ્ત્રનું પણ જ્ઞાન નથી. કયા છંદમાં કેટલી માત્રા વૃત તથા ક્યો છંદ કેટલા ગણોનો હોય, તેમાં સમ તથા વિષમ શું છે? વગેરે જે છંદશાસ્ત્રનાં લક્ષણો છે તેનાથી હું અજ્ઞાન છું. વળી આવા જ્ઞાનાભાવે કવિતા રચવાની શક્તિ પણ હું ધરાવતો નથી. જો એમ હોય તો કવિતા દ્વારા પણ હું આપના ગુણાનુવાદ કરું. એક અનુભવીએ કહ્યું છે,
પિંગલ પાઠ પઢયા વિના કાવ્ય કરે કવિ હોય
વળી વ્યાકરણ વિના વદે, વાણી વિમળ ન હોય. વ્યાકરણ કે કવિતાની પદ્ધતિના જ્ઞાન વિના બોલવું તે તો નિરર્થક છે. હે નાથ ! વસ્તુની ઘટના જેવા કે હેતુ, દષ્ટાંત, ઉપનય, વ્યાતિ વગેરે પાંચ પાંચ અંગ તર્કના પ્રમાણનય તત્ત્વાલોકમાં બતાવ્યા છે. આ રીતે તર્ક વડે વ્યાપ્તિ કરી વસ્તુનું યથાર્થ જ્ઞાન કરવું તેમજ વિવાદના નિયમ મુજબ પક્ષ-પૂર્વ- ઉત્તરપક્ષ, તર્ક પ્રમાણ દષ્ટાંત વગેરે છે તેના વડેવિવાદમાં વિજય મેળવી શકાય એવી શક્તિ પણ મારામાં નથી. હે પ્રભુ! કવિતા બનાવવા માટે મારી પાસે કવિત્વશક્તિ પણ નથી. તેમજ રસ, અલંકાર, વિભાવ, અનુભાવ, સ્થાયીભાવ વગેરે વિભેદો જાણવા જોઈએ તથા તેનું જ્ઞાન હોવું જોઈએ તે પણ મારામાં નથી. ખરેખર, હું કોઈ પણ યોગ્યતા યુક્ત નથી. યોગભ્રષ્ટ, માર્ગભ્રષ્ટ આપની પાસે યાચના કરવા આવ્યો છું પણ પ્રભુ હવે હું શું કરું કે આપના જેવા સ્વરૂપને પામી શકું? હવે કવિશ્રી આનંદધનજી કહે છે, जाप न जानु जुवाब न जानु, न जानु कथवाता; .. ભાવ ન નાખું મારી જ નાખું, નાનું ન સી તાતા...ગામધૂાા રૂા.
હું જાપ જાણતો નથી. કોઈને પ્રત્યુત્તર દેવાનું જાણતો નથી. મને કથાવાર્તાનું જ્ઞાન નથી. ભાવોની રુચિ તેમજ ભક્તિની રીત હું જાણતો