________________
૧૪૭
પદ-૨૫
.
“ જ્યારે મુને મિત્રશ્ય માહો”
અનુભવ રસ
અધ્યાત્મમાર્ગની તીવ્ર ઝંખના વિના આત્મપ્રાપ્તિ થતી નથી. અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી મહારાજ એક એવા સાધક છે જે જેમણે આત્મમસ્તી માણતા જ પદોચ્ચારણ કર્યું છે. અધ્યાત્મમાર્ગના સાચા સાધકની દશા કેવી હોય છે તે કવિશ્રીએ રામગ્રી રાગમાં વર્ણવેલ છે. क्यारे मुने मिलश्ये माहरो संत सनेही.... । क्यारे । संत सनेही सुरीजन पाखे, राखे न धीरज देही..... । क्यारे ।।
આત્મસ્વરૂપની પ્રાપ્તિના પિપાસુસાધક જેણે આત્માની ભાળ મેળવી લીધી છે તેની પાસે જાય છે અને અંતરની વેદના વ્યક્ત કરે છે. હે સંતો ! મને મારો સ્વામી ક્યારે મળશે ? તેના વિના મને હવે ક્યાંય ચેન પડતું નથી. મારા નાથ વિના મને નથી ઘ૨માં ચેન કે નથી મને બહાર ચેન. ઢે અનુભવી સંતો ! આપે તો તેને જાણ્યો છે. અનુભવ્યો છે. હે પ્રભુ ! મને બતાવો મારો અનંતગુણનિધાન આત્મા ક્યાં સંતાયો છે ? આત્મપ્રાપ્તિ વિના આ અનંતસંસારમાં હું દુઃખ પામી રહ્યો છું.
શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે,
જેહ સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત.
અનંતસંસા૨ પરિભ્રમણનું મૂળ કારણ છે, સ્વરૂપનું અજ્ઞાન. આજ સુધી તે જાણ્યું નથી. પણ હે ગુરુદેવ ! આપે તે સ્વરૂપ અનુભવ્યું છે. આપ મને પણ માર્ગ બતાવો. દીપક વડે દીપક પ્રગટે તેમ આપના અનુભવજ્ઞાનથી મારા આત્મદીપ પ્રગટી જશે. આપ જ મારા માર્ગદાતા છો. માટે જ કહ્યું છે,
गुरु विना को नहि मुक्तिदाता, गुरु विना को नहि मार्गगंता
गुरु विना को नहि जाडयहर्ता, गुरु विना को नहि सौख्यकर्ता .... ।।२।। ગુરુમહિમા અપાર છે, માર્ગ ભૂલેલા પથિક માટે માર્ગ બતાવનાર ભગવંત સમાન છે. કવિ કહે છે કે હે સંતો ? મારા સ્નેહને જાણનાર એવું