________________
અનુભવ રસ
૧૪૪
પદ-૨૪
"मुने मारो कब मिलशे मनमेलु" । શ્રી આનંદઘનજી મહારાજે આ પદમાં સાધકની નિજાનંદની મસ્તી વર્ણવી છે. સુમતિની સમજાવટથી ચેતન સ્વઘર પધારવા તૈયાર તો થયો પણ જ્યાં સુધી ઘરના આંગણામાં આવે નહીં ત્યાં સુધી પોતાની સ્ત્રીને શાંતિ ક્યાંથી વળે? શુદ્ધ ચેતનને મળવા અત્યંત વ્યાકુળ છે. આ વ્યાકુળતા શ્રી આનંદઘનજીએ સ્વાનુભવના આધારે શબ્દદેહે આપણી સમક્ષ મૂકી છે.
જેમ તૃષાતુર માનવ, પાણીની શોધમાં ચારે બાજુ દોડતો હોય છે એ રીતે સાધક કવિએ આત્મતૃષા છીપાવવા માટે ગ્રામ, નગર, જંગલ, પર્વતો તથા ગુફાઓમાં વસવાટ કર્યો છેવટે સ્વપુરુષાર્થ દ્વારા કવિએ ચેતનને મનાવ્યો. તે સ્વઘરે આવવા તૈયાર તો થયો પણ હજુ ચેતનાને ઘરે પહોંચ્યો નથી.
શુદ્ધચેતના, ચેતન માટે કેટલી વ્યાકુળ છે તે હવે ચેતનાના શબ્દોમાં આપણે જોઈએ. કવિશ્રી આનંદઘનજી “રામગ્રી” રાગમાં કહે છે,
મુને મારો વેવ મિનાશે મનમેલુ...... મુને મનમેનુ વિણ ત્તિ ની, વાને વન વોર્ડ વેલૂ...મુના
શુદ્ધચેતના કહે છે કે જેની સાથે મારો સ્વભાવ મળી ગયો છે, જેની સાથે મેં કદી ભેદ જોયો, જાણ્યો કે અનુભવ્યો નથી. એવા શુદ્ધ ચૈતન્ય વિના મારો મેળ કોઈની સાથે જામે નહીં. હંમેશાં નિયમ છે કે સરખા
સ્વભાવવાળાનો તથા સરખા વિચારવાળાનો મેળ અધિક હોય અને જો મેળ હોય તો રમવાની મજા આવે. તેથી સુમતિ કહે છે કે મારો ને ચેતનનો સ્વભાવ એક જ છે. તેની સાથે એક થઈને રહેવા ઈચ્છું છું. ચેતન જ્ઞાનસ્વભાવી છે. એના અનુભવજ્ઞાનની વાતો કરવાથી કાંઈ વળવાનું નથી. પણ જ્ઞાયકભાવ પ્રાપ્ત થતાં જ્ઞાયકને અનુભવી શકાય છે. જ્ઞાયક જ્ઞાનથી શેયને જાણે છે તથા શેય જ્ઞાયકના જ્ઞાનમાં ઝળકે છે. પરંતુ જ્ઞાયક શેયરૂપ બની જતો નથી. જ્ઞાન શેયાકારે પરિણમે છે અને