________________
૧૩૫
અનુભવ રસ આદિ કે અંત નથી. તેથી મીમાંસકો-વેદાંતીઓનો ઈશ્વર કત્વવાદ ઊભો રહેતો નથી. વૈશેષિકો અને નૈયાયિકો પરમાણુંને અનાદિ માને છે. કવિશ્રી આગળ કહે છે, ' . सिद्ध संसारी बिनुं नहि रे, सिद्ध बिना संसार; વરુતાલિન વેર નહિ થાજે, વિન વેરની વારતા. વિધારીરૂા.
સંસારી જીવોની અપેક્ષાએ સિદ્ધ જીવો છે કારણકે જે અષ્ટકર્મથી મુક્ત બને છે તેને સિદ્ધની કોટિમાં મૂકી શકાય છે. જો સંસારીજીવો નહીં તો સિદ્ધના જીવો પણ હોઈ શકે નહીં. જે કર્મ બંધનમાં છે તે જ મુક્ત થવા ઈચ્છે છે. આ બન્નેમાં કોણ પહેલાં અને કોણ પછી એમ પૂછવામાં આવે તો તેના જવાબમાં બંને સહ વર્તમાન છે જ.
અદ્વૈતવાદીઓ સિદ્ધ અને સંસારી એ બંને વસ્તુતઃ છે જ નહીં એમ એકાંતપક્ષનો સ્વીકાર કરે છે પરંતુ તે યોગ્ય નથી. શ્રી બુદ્ધિસાગરજી કહે છે કે કેટલાક મતવાદીઓ મુક્તઆત્માઓ પુનઃ સંસારમાં પાછા અવતાર ગ્રહણ કરે છે તેમ માને છે. એ વાત પણ સત્ય ઠરતી નથી કારણકે કર્મથી મુક્ત થવા આટલો પુરુષાર્થ કર્યા પછી કોણ એવો મૂર્ખ હોય કે પાછો કર્મથી બંધાય? ઈશ્વર કર્તુત્વવાદીઓ સંસાર અને મોક્ષના કર્તા તરીકે ઈશ્વરને માને છે. આ વાત પર ઘણા પ્રશ્નો થાય અને તેનો ઉત્તર સંતોષકારક ન મળે. માટે એ વાતને પણ સ્થાન રહેતું નથી, કારણ કે બધાં દ્રવ્ય સ્વતંત્ર છે અને બધાં પોતાના સ્વભાવાનુસાર પરિણમે છે.
કર્તા વિના ક્રિયા નથી અને ક્રિયા વિના કર્તા સિદ્ધ થતો નથી. આત્મામાં છ કારકો ઘટે છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ. આ કારકોનો કર્તા આત્મા છે અને તે સંબંધી દરેક ક્રિયા આત્મામાં છે. માટે કોઈપણ કર્મનો કર્તા આત્મા (જીવ) છે. વળી જીવ વિના કોઈપણ ક્રિયા ઘટી શકે નહીં માટે કર્તા-કર્મભાવ અનાદિ છે. તે વાતને સ્પષ્ટ કરતા શ્રી આનંદઘનજી મહારાજ આ પદની ચોથી કડીમાં કહે છે, जामन मरण विना नहि रे, मरण न जनम विनास; લીપ વીનું પરવશતા વારે, વિન વીપ પ૨વાશ...વિવાર... કા
મૃત્યુ વિના જન્મ ન હોય અને જન્મ વિના મૃત્યુ ન હોય. પ્રકાશ