________________
અનુભવ રસ
૧૩૪ માત્ર તર્કશક્તિથી કે અનુમાનપ્રમાણથી કોઈપણ વાત વિચારી કાંઈ કહે તો તે વાત કેટલે અંશે સત્ય ઠરી શકે? પરંતુ જેની અંતરદષ્ટિ ખુલ્લી ગઈ છે તેઓ આગમનો સાર સમજી શકે છે. હે પ્રભુ! તારા આગમરૂપ સમુદ્રનો પાર નથી. એ સમુદ્રનો તાગ જે તારા જેવા થાય તે જ પામી શકે. કારણ કે એ જ સર્વ પદાર્થને સર્વપ્રકારે પ્રત્યક્ષ જુએ છે અને જાણે છે. તેથી પદાર્થના સર્વ ભાવોને જાણવાની શક્તિ તારા જેવી દૃષ્ટિ પામ્યા વિના પ્રગટી શકે નહીં. તારા જેવી દૃષ્ટિ મળતા આગમની વાતો સમ્યગરૂપે પરિણમે છે.
શ્રી બુદ્ધિસાગરજી મહારાજ કહે છે કે આત્મામાં આ બધી શક્તિઓ તો પહેલી જ છે કારણકે ગુણ અને પર્યાયનો આધાર આત્મા છે. આધાર વિના આધેય ન રહે અને આધેય વિના આધારનું મૂલ્ય નહીં. આત્મદ્રવ્યમાં આધેયરૂપ ગુણ પર્યાય છે પરંતુ બંને કાર્ય-કારણભાવરૂપ છે. છ દ્રવ્યમાં આકાસ્તિકાય આધાર છે અને શેષ પાંચ દ્રવ્ય આધેય છે, જેમ કે મરઘી વિના ઇંડું અને ઠંડા વિના મરઘી ન હોય. આ રીતે કાર્ય-કારણ સંબંધ અનાદિકાળથી ચાલ્યો આવે છે. એ જ રીતે જીવ અને કર્મનો સંબંધ પણ ભગવતીસૂત્રમાં બતાવેલ છે. રોહાઅણગારે પ્રભુ મહાવીરને પ્રશ્ન કર્યો
___ ‘एवं भवसिद्धिया य अभव सिद्धयाय सिद्धा असिद्धा" १
કર્મ પહેલાં કે જીવ પહેલાં? ઉત્તરઃ- જેમ ઠંડુ અને મરઘીનો કાર્યકરણ સંબંધ છે તેમ જીવ અને કર્મનો અનાદિ સંબંધ છે.
આ વાતને વધારે સ્પષ્ટ કરતાં શ્રી આનંદઘનજી લખે છે, भुरटा बीज बिना नहि रे, बीज न भुरटा टार; નિતી વીન વિવસ ઘરે નદિયારે,વિનવિન સિનિરાધાર..mવિવાર ..ારા
આ કડીમાં કવિએ સાપેક્ષવાદનાં ભિન્ન ભિન્ન ઉદાહરણો આપી સાપેક્ષવાદને વધારે પુષ્ટ કર્યો છે. તેઓશ્રી કહે છે કે જેમ બીજ વિના ફળ નહીં અને ફળ વિના બીજ નહીં, વળી જો રાત્રી છે તો દિવસ છે અને દિવસ છે તો રાત્રી પણ છે એ બંનેનો કાર્ય – કારણભાવ સંબંધ બતાવી અધ્યાત્મમાર્ગના અસ્તિ નાસ્તિમાર્ગની સિદ્ધિ કરે છે. દિવસ પણ રાત્રીની અપેક્ષાએ છે. રાત્રી આગળના દિવસની અપેક્ષાએ છે પરંતુ બન્નેમાં કોણ પહેલાં અને કોણ પછી તે કહી શકાય નહીં તે રીતે સૃષ્ટિનો પણ