________________
૧૩૩
અનુભવ ૨સ
Kક
પદ-૨૨
જ
“વિવાર વદ વિવાર રે” શાંતિનું મૂળ છે સાપેક્ષવાદ. સમત્વનું સામ્રાજ્ય છે સ્યાદવાદ્ ધર્મ અને અનેકાન્તવાદના પ્રણેતા છે- સર્વજ્ઞ પરમાત્મા–તીર્થકર. ભગવાન મહાવીરની ઉત્તમ અને ગંભીરવાણીની શ્રી આનંદઘન મહારાજે કાવ્યરૂપે આપણને પ્રસાદી આપી છે. જેમકે એક સ્ત્રી કોઈની દીકરી છે. તો કોઈની મા પણ છે, તે કોઈની સાસુ છે તો કોઈની વહુ પણ છે. જે દીકરી છે તે મા ન હોય તેમ નથી. તેમ કોઈપણ પદાર્થને જુદા જુદા દૃષ્ટિકોણથી જોવો તેને કહેવાય છે સાપેક્ષવાદ. તીર્થંકર પરમાત્માએ આપણને સ્યાદવાદની આંખો આપી છે. જેમાં નથી કોઈ વિરાટ કે નથી કોઈ વિનાશ પણ તેમાં છે વિરાટના વિકાસનું અમૃત.
ગોડી રાગમાં” કવિશ્રી કહે છે, विचारी कहा विचारे रे, तेरो आगम अगम अथाह...।। विचारी । बिन आधे आघा नहि रे। बिन आधेय आधार; મુર વિનુ ફુલ નદિ ચારે, યા વીન મુરીદી નાર. વિવાર...!!
આત્મ સ્વરૂપની નિશાની બતાવવામાં કેટલી બધી મુશ્કેલી છે. એ સ્વરૂપ જીભેથી કહી શકાય નહીં તથા કાનેથી સાંભળી શકાય નહીં તેવું અગોચર તારું રૂપ છે. આ અનુપમ તારું રૂપ એ તો અનુભવગોચર જ્ઞાન છે. એ ઇન્દ્રિયોનો વિષય નથી.
શ્રી મોતીચંદભાઈ કાપડિયા લખે છે,
એ જ્ઞાનપ્રાપ્તિના સામાન્ય રીતે બે માર્ગ હોઈ શકે. એક બુદ્ધિશાળીમાણસ પોતાની વિચારશક્તિ દ્વારા અનુભવગોચર વસ્તુઓનું સ્વરૂપ વિચારે અને બીજું દિવ્યજ્ઞાનથી મહાત્માઓ જે સ્વરૂપ બતાવી ગયા છે તેને ધ્યાનમાં લઈને પોતે સ્વરૂપ સમજવા યત્ન કરે. સ્વતંત્ર વિચાર કરતાં બહુ પ્રકારની મુશ્કેલીઓ આવે છે તે અહીં બતાવવામાં આવ્યું છે. વસ્તુનું સ્વરૂપ જિનેશ્વર ભગવાને પોતાના દિવ્યજ્ઞાનથી બતાવ્યું છે.