________________
અનુભવ રસ
૧૩૦ તખ્તાલોકમાં કહેવામાં આવ્યું છે કે “સ્વપ૨ વ્યવસાયિ જ્ઞાનું પ્રમાણમ” ૩. પદાર્થના સર્વધર્મના અંશોને ગ્રહણ કરી પદાર્થજ્ઞાન કરવું તે પ્રમાણજ્ઞાન છે. જે જ્ઞાન સ્વ-પરનો નિર્ણય કરે તે પ્રમાણજ્ઞાન છે.
સંસારદશામાં જીવ કર્મસંયોગી છે. વળી કર્મને રૂપી કહ્યો છે. વળી જીવ, કર્મથી આવૃત્ત હોવાને કારણે કર્મસાપેક્ષ જીવને રૂપી કહી શકાય એ વ્યવહારનયનું કથન છે. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ લખે છે કે નિગમનયની અપેક્ષાએ તથા વ્યવહારનયની અપેક્ષાએ આત્મારૂપી પણ કહેવાય છે અને નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા અરૂપી પણ કહેવાય છે. સંસારી આત્મામાં એક વખતે વ્યવહારનયથી રૂપીપણું અને નિશ્ચયનયથી અરૂપીપણું ઘટે છે. સંગ્રહનયની અપેક્ષાએ આત્મા, શુદ્ધ સનાતન કહેવાય છે. દ્રવ્યાર્થિક નયથી આત્મા નિત્ય છે અને પર્યાયાર્થિક નયની દૃષ્ટિથી આત્મા ઉત્પાદુ – વ્યય થવાથી અનિત્ય છે. ઋજુસૂત્રનયની અપેક્ષાએ આત્મા ક્ષણિક છે. સંગ્રહનયની અપેક્ષાએ આત્મા એક છે. વ્યવહારનયની અપેક્ષાએ આત્મા અનેક છે અને એવંભૂતનયની અપેક્ષાએ આત્મા સિદ્ધ બુદ્ધ કહેવાય છે. એકાંત સંગ્રહનયથી અદ્વૈતવાદ ઊભો થાય છે. એકાંત વ્યવહારનયથી હઠવાદ અથવા સાંખ્યમત ઊભો થાય છે અને એકાંત ઋજુસૂત્રનયની માન્યતાથી બૌદ્ધદર્શન ઉત્પન્ન થાય છે.
શ્રી મોતીચંદભાઈ કાપડિયા લખે છે, “આત્માના આઠ ચક પ્રદેશ જેમાં હંમેશાં હોય છે અથવા રહે છે તેથી સંગ્રહનયની અપેક્ષાએ આત્મા સિદ્ધસ્વરૂપી કહી શકાય તેમ જ તે દૃષ્ટિથી તેને શુદ્ધ સનાતન પણ કહી શકાય.”
આગમસાર ગ્રંથમાં ગણિશ્રી દેવચંદ્રજી કહે છે, સિદ્ધ શબ્દની સાત નયે વ્યાખ્યા થઈ શકે છે.
(૧) નૈગમન :- સર્વ જીવ સિદ્ધ છે કેમકે સર્વ જીવના આઠ રુચક પ્રદેશ સિદ્ધ સમાન નિર્મળ છે.
(૨) સંગ્રહનય – સર્વ જીવની સત્તા સિદ્ધ સમાન છે.
(૩) વ્યવહારનયઃ – જે વિધાલબ્ધિ ગુણ વડે સિદ્ધ થયો તે સિદ્ધ થયો તે સિદ્ધ
(૪) ઋજુસૂત્રનય- જે પોતાના આત્માની સિદ્ધપણાની દશા