________________
૧૨૯
અનુભવ રસ માનવગતિમાં ઉત્પન્ન થયો અને સ્થિતિપૂર્ણ થતાં નાશ પામ્યો તે કેમ માની શકાય? જો આપણે તેમાં કર્મસંયોગ કહીએ તો કર્મ આવ્યા ક્યાંથી? કર્મ જીવને સતાવી શકે છે તથા લાગી શકે તેમ હોય તો સિદ્ધને પણ કર્મ લાગવા જોઈએ પણ તે સંભવી શકતું નથી. તો શું આત્માનો ઉત્પાદ્ વ્યય થાય છે તેમ માનવું? જો તેમ માનવામાં આવશે તો નિત્યપણાનો તથા અબાધિતપણાનો લોપ થઈ જશે. વળી બૌદ્ધમતવાદીઓ ક્ષણિકવાદી હોવાને કારણે તેઓ આત્માનો ક્ષણે ક્ષણે નાશ તથા ઉત્પા માને છે. અને જો એમ માનવામાં આવે તો આત્માની નિત્યતા ખંડિત થાય છે તથા અબાધિતપણાનો લોપ થશે. વૈશેષિક મત આત્માને કૂટસ્થ નિત્ય માને છે. આત્મા નિત્ય છે, અચલ છે, સ્થિર છે વગેરે સિદ્ધાંતો નાશ થાય છે. કારણકે જન્મમરણરૂપ ક્રિયા નજર સમક્ષ જણાય છે. માટે આત્માને એકાંતે નિત્ય (સનાતન) કહેવો તે યોગ્ય નથી. ઠાણાંગસૂત્રમાં બે પ્રકારના જીવ કહ્યા છે (૧) સિદ્ધ અને (૨) અસિદ્ધજીવ
જો આત્માને સિદ્ધ સનાતન માનવામાં આવે તો આવા ભેદ માની શકાય નહીં, પરંતુ જીવની સંસારી અવસ્થા છે તે સર્વને અનુભવગમ્ય છે. તો હવે પ્રશ્ન થાય છે કે તો આત્માનું લક્ષણ શું માનવું? કે જેથી કોઈ પણ જાતનો વિરોધ ન આવે. ત્યારે કવિ સ્વયં પ્રશ્નનો ઉત્તર આપતાં ચોથી કડીમાં કહે છે,
सर्वांगी सब नय घणी रे, माने सब परमान; નિયવાળી પર્વનો હી થાજે, જે તરફ તાંન...નિરાનિકા
આત્માનું સત્ય સ્વરૂપ સમજવા માટે કોઈ એક નય ને ગ્રહણ ન કરતાં સર્વ નયોનો વિચાર કરવો ઘટે. એથી આત્મા વિષેની સાચી સમજણ આવી શકે છે. આત્માને એક નયને લઈને સમજવા જઈએ તો તેનું સત્ય સ્વરૂપ સમજી શકાય નહીં, માટે નયનું લક્ષણ વિચારવું ઘટે. નયચક્રમાં કહેવામાં આવ્યું છે કે “અનંત ધર્માત્મવેરે વસ્તુત્યેક ધર્મોન્ય જ્ઞાન નય:” પદાર્થ અનેક ધર્મયુક્ત હોય છે. તેમાનાં એક ધર્મની મુખ્યતા કરી બીજા ધર્મોનો અપલા૫ ન કરવો, તથા ગ્રહણ પણ ન કરવા તેને “નય” કહેવામાં આવે છે. નયવાદમાં એક અંગ ઉપર વિશેષ લક્ષ્ય રહે છે ત્યારે “પ્રમાણ માટે કહે છે કે “સન્ન ધર્મ પ્રમાણે” ૨. તેમજ પ્રમાણનય